આ મારા નાજુક નમણાં ટાંચણ,
મારગકાંઠે હસતાં ફૂલ સરીખા:
વાટમારગુ નીરખે,પછી વીસરી જાય.
2
રાત્રિએ સૂરજને કહ્યું:
આ ચન્દ્ર તારો પ્રેમપત્ર છે,
તો ધરતીપુત્ર તરણાં પર ઠરેલા અશ્રુબિન્દુઓ
મારા પ્રત્યુત્તર છે.
3
મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ ઋણભાવનું
ગુંજન- ગાન છેડે છે,
પણ રૂપલબ્ધ પતંગિયુ તો, માને છે કે
પોતે ફૂલને કૃતાર્થ કર્યું છે.
4
મૃત વાણીની ધૂલિથી તું મેલીઘેલી છો ?
તો, તારા માન્હ્યલાને મૌનનો અભિષેક આપ.
5
પતંગિયુ પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
ક્ષણોમાં સમાવી દે છે-
અને છતાંય તેને સમયનો તોટો નથી!
( કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મૌક્તિકોનું શ્રી જયંત મેઘાણીએ કરેલ ભાવાનુવાદ..” તણખલાં” માંથી સાભાર )
સુંદર મુક્તકો
આ વધુ ગમ્યુ
મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ ઋણભાવનું
ગુંજન- ગાન છેડે છે,
પણ રૂપલબ્ધ પતંગિયુ તો, માને છે કે
પોતે ફૂલને કૃતાર્થ કર્યું છે.
તારા માન્હ્યલાને મૌનનો અભિષેક આપ.
પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. … એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે.
પતંગિયુ પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
ક્ષણોમાં સમાવી દે છે-
અને છતાંય તેને સમયનો તોટો નથી!
લાઘવતાનાં અર્થસભરને ,પુષ્પનાં પમરાટની જેમ વેરતાં મનમોહક લઘુ કાવ્ય..આ મુક્તક નથી,પણ મૌકતિકો, મોતીઓ છે.
saras muktako chhe.
Sapana