સંબંધસેતુ….7..

કયાંય કશું સંપૂર્ણ નથી,
સૌમાં થોડી વધઘટ છે. “

પૂરેપૂરા સારા દુનિયામાં બે જ માણસ હોઇ શકે..એક હજુ ન જન્મેલ…અને બીજા જે મૃત્યુ પામ્યા છે તે. બાકી તો દરેક વ્યક્તિમાં થોડી વધઘટ..થોડા ગુણ દોષ હોય જ છે ને ? જીવનના આ સત્યથી આપણે કોઇ જ અજાણ નથી હોતા. અને છતાં..છતાં વ્યવહારમાં આ સત્ય આપણે સ્વીકારી શકતા નથી. અને કોઇની પણ ભૂલ થાય ત્યારે ન્યાયાધીશ બની જઇએ છીએ..બીજાનો ન્યાય કરવા આપણે તત્પર બની જઇએ છીએ..અને સંબંધોમાં જયારે બીજાના દોષ શોધવાનું ચાલુ થાય ત્યારે…. અને જેને જે શોધવું હોય તે મળી જ રહે છે. ગુણગ્રાહી વ્યક્તિને ગુણ જ દેખાશે. દોષ શોધનારને દોષ મળી જ રહેશે..ગાંધીજીના વ્યક્તિત્વમાંથી દોષ શોધનાર ને પણ તે મળી જ રહે છે ને ? તો પછી આપણે સૌ તો સામાન્ય માનવી છીએ..દોષ શોધવા તો બહુ આસાન છે.

રોહિત અને અરૂપાના નવા નવા લગ્ન થયા હતા. આર્થિક રીતે બંનેના કુટુંબ સાધનસંપન્ન હતા. પરંતુ બંને કુટુંબની વિચારસરણીમાં આસમાન જમીનનું અંતર હતું. સગાઇ પછી બે જ મહિનામાં લગ્ન લેવાયા.અને તેથી બંનેને એકબીજાનો વધારે પરિચય કરવાનો સમય ન મળી શકયો. કુંડળી..જન્માક્ષર બધું મેચ થયું હતું. બાહ્ય રીતે બધું બરાબર હતું. અને ધામધૂમથી લગ્ન થયા.

પરણીને અરૂપા સાસરે આવી. અરૂપાના ઘરમાં બધા ખૂબ આધુનિક વિચારના હતા. અરૂપાનો ઉછેર પણ એ જ રીતે થયો હતો.તેણે તો લગ્ન પછી હનીમુનના કેટલાયે સપના જોઇ રાખ્યા હતા. આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતો તેથી કયાંક કોઇ સરસ જગ્યાએ રોહિત સાથે ફરવા જશે..એકબીજાને સમજશે..જાણશે.. સ્વાભાવિક રીતે જ કેટલી યે રંગીન કલ્પનાઓ..શમણાઓ તેના મનમાં હતા. પરંતુ અહીં તો હનીમુન માટે જવાની જરૂર કોઇને નહોતી લાગતી. રોહિતને પૂછતા તેણે જવાબ આપ્યો, ’આપણા ઘરમાં એવો કોઇ રિવાજ નથી. અને આપણા ઘરમાં મમ્મી જે કહે તે ફાઇનલ..પછી તેની સામે કોઇ દલીલ કરે જ નહીં.. અરૂપા તો સાંભળી જ રહી..આટલા પૈસા અને છતાં આવા વિચારો ? આ પૈસા શા કામના ? તેના સપના બધા પડી ભાંગ્યા.અને લગ્ન પછીનો થોડો સમય જે એકબીજાને સમજવાનો..એકબીજાની નજીક આવવાનો તે માનતી હતી..તેને બદલે તે સગાવહાલાઓને મળવામાં તેમને ઘેર રોજ જમવા જવામાં ને બધા વહેવારોમાં ગૂંથાઇ ગઇ. ગૂંથાઇ જવું પડયું. તે સંસ્કારી હતી.તેથી કશું બોલી તો નહીં. પરંતુ તેના મનમાં એક અસંતોષ રહી ગયો. રોહિત પણ કશું બોલી ન શકયો.. તે તેને જરા યે ન ગમ્યું. તેના વર્તનમાં તેનો પડઘો ઘણીવાર અનાયાસે પડતો રહ્યો. છતાં જે હકીકત હતી તે સ્વીકારવી જ રહી ને ?

પરંતુ રહેણીકરણીનો જે મૂળભૂત ફેરફાર હતો તે દરેક વાતમાં જણાવા લાગ્યો. અરૂપા ના ઘરમાં બધા ખૂબ આધુનિક વિચારના હતા. અને તેના ઘરમાં છોકરા,છોકરી વચ્ચે એવા કોઇ ભેદભાવ નહોતા. તેથી છોકરાઓ સાથે પણ તે એટલી જ મુકત રીતે ..છૂટથી હળીમળી શકતી. જોકે હવે અહીં તે એક છોકરી નહીં..બલ્કે વહુનું લેબલ તેની પર લાગી ગયુ હતું. અને વહુથી શું કરાય અને શું ન કરાય..કોની સાથે બોલાય અને કોની સાથે ન બોલાય તેના સ્પષ્ટ વિચારો….માન્યતાઓ આ ઘરમાં હતા. અને તેથી જયારે અરૂપાનો ખાસ મિત્ર તેના શહેરમાં આવ્યો ત્યારે અરૂપાએ તેને પોતાને ઘેર જમવા માટે બોલાવેલ.શશિન ની વાત તેણે રોહિતને પણ કરેલી. અને જયારે શશિન નો ફોન આવ્યો ત્યારે ઘરમાં સાસુ કે કોઇ હતા નહીં. અને આવી નાની વાતમાં પૂછવાનું શું હોય ? તેમા મિત્રને તે જમવા પણ ન બોલાવી શકે ? એવો તો વિચાર સુધ્ધાં તેને ન આવ્યો. સાંજે સાસુ આવ્યા ત્યારે અરૂપા એ સ્વાભાવિકતાથી તેમને વાત કરી.સાસુ તો ડઘાઇ ગયા.મને પૂછયું પણ નહીં..અને કોઇ છોકરો..વહુનો દોસ્તાર ઘેર જમવા આવે છે.. !! વહુએ પોતાને પૂછયા સિવાય તેને જમવાનું પણ કહી દીધું..! આ બધું એક સાસુ..જૂનવાણી સાસુ કેમ ચલાવી લે ? અને અરૂપા તો ડઘાઇ ગઇ..આવી નાની વાત,..! અને રોહિતે તો હમેશની માફક હાથ ઊંચા કરી દીધા..અમારા ઘરમાં એવા રિવાજ નથી..મમ્મી કહે તે સાચું. આ કંઇ તારું પિયર નથી..અહીં ના રિવાજ અલગ છે. અમે તમારા જેવા આધુનિક નથી.એ તારે સમજી લેવું જોઇએ…અને મને પણ હવે એ બધું પસંદ નથી. હવે તું કોલેજમાં ભણતી છોકરી નથી. અરૂપા સ્તબ્ધ..! આટલી શિક્ષિત, ભણેલ ગણેલ વ્યક્તિ પણ આવું બોલી શકે ? તે કયા જમાનાની વાત કરે છે ? આટલી સંકુચિતતા ? તેનું મન વિદ્રોહ કરી ઉઠયું..ત્યારે તો તે કશું બોલી ન શકી.

પણ પછી તો શશિન આવ્યો..જમ્યો..પણ તે સરખી રીતે તેની સાથે બોલી ન શકી. રોહિત જરૂર પૂરતા બે વાકયો તેની સાથે બોલ્યો..પણ શશિનને ખ્યાલ આવી ગયો.અરૂપાની સ્થ્તિ તે સમજી શકયો…અને માંડમાંડ થોડું જમીને તે જલદીથી ત્યાંથી નીકળી ગયો. અરૂપા પોતાના આ અપમાનથી સમસમી ગઇ. અત્યાર સુધી તેણે સમાધાન કરવાના પ્રયત્નો કરી જોયા હતા. પણ આ તો તેનું ઘર હતું..એવુ કોઇ કયાં માનતું હતું ? આ તો તેનુ સાસરું હતું. પિયરમાં હતી ત્યારે મમ્મી ઘણીવાર કહેતી. ‘તારે જે કરવું હોય તે હવે તારે ઘેર જઇને કરજે..’ અને અહીં..? આ પણ તેનું ઘર નહોતું. આતો ફકત હતું તેનું સાસરું..તો..તો તેનું ઘર કયું હતું ? તેને કોઇ ઘર હતું કે નહીં ? મારું ઘર કયું ? શું સ્ત્રીને પોતાનું ઘર કોઇ જ ન હોય ? જયાં તે પોતાની ઇચ્છા મુજબ કરી શકે? તો પછી આખો દિવસ તે તૂટી મરે છે તે કોના ઘર માટે ? કયા ઘર માટે ? આવા અનેક વિચારો તેના મનમાં ઘૂમતા રહ્યા…અને અંતે એક દિવસ તે ડીપ્રેશનનો ભોગ બની ગઇ. તેના તન મનમાં એક નિરાશા વ્યાપી ગઇ. આખી જિંદગી તેણે સમાધાન જ કર્યા કરવાનું ?

આ કેવા સંબંધો ? જયાં ડગલે ને પગલે તેણે એકલીએ જ સમાધાન કરવાનું ? કેમ સ્વીકારવા આ સંબંધો ? કેમ નિભાવવા આ સંબંધો આખી જિંદગી ?
તેણે કંટાળીને પિયરનો રસ્તો પકડયો. ત્યાં ડોકટરની કેટલી ટ્રીટમેન્ટ કર્યા બાદ તે નોર્મલ બની શકી. રોહિતે તેને બોલાવવાના પ્રયત્નો કર્યા.. તે અરૂપાને પ્રેમ તો કરતો હતો પરંતુ પોતાના દાયરામાંથી બહાર નીકળી નહોતો શકતો. મમ્મી જે કરે તે બરાબર ..એમ માની અત્યાર સુધી જીવ્યો હતો…

પણ અરૂપાની ગેરહાજરીએ તેને વિચારવા મજબૂર કરી દીધો. તેણે આખી વાત તેના ખાસ દોસ્ત આર્યન ને કરી. સદનશીબે આર્યન તેને સમજી શકયો..અને અરૂપાની વાત પણ તે સમજી શકયો.તેણે રોહિતને સાચી વાત..સારી રીતે સમજાવી. અને મિત્રની વાત રોહિતને ગળે આસાનીથી ઉતરી ગઇ. તેને પોતાની ભૂલ સમજાઇ.અને તે અરૂપાને ઘેર ગયો.પોતાની ભૂલ સ્વીકારી..અને હવે પછી એવુ નહીં થાય..તેવો સધિયારો આપ્યો.અને અરૂપાએ પણ રોહિતની વાત માની અને પોતાને ઘેર પાછી ફરી.
અને હવે રોહિત અરૂપાની ખુશી નો વિચાર કરવા લાગ્યો.મમ્મીએ ના પાડવા છતાં..તેણે અરૂપા સાથે થોડા દિવસો ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી જ લીધો. અને રોહિતની મક્કમતા જોઇ તેની મમ્મીને પણ થયું કે હવે બોલવામાં સાર નથી..રોહિત પોતાનું નહીં માને તેની ખાત્રી થતાં..દીકરો દૂર ચાલ્યો જશે કે જુદો રહેવા જશે..એ ડરે તે મૌન બની ગયા..અને ધીમે ધીમે તેમણે પણ બદલાયેલ સંજોગોને મને કે કમને સ્વીકારી લીધા..અને આમ ઘી ના ઠામમાં ઘી પડી શકયું. અરૂપાએ પણ બધું ભૂલી સાસુ માટે મનમાં કોઇ દ્વેષ ન રાખ્યો. અને એક કુટુંબ તૂટતું બચી ગયું. એક મૂરઝાતી જિંદગી ખીલી ઉઠી..એક સ્ત્રી જયારે હસી ઉઠે ત્યારે તે અન્યની જિંદગીમાં પણ ખુશી ભરી શકે..એ સત્ય યાદ રાખી શકાય તો ? સંબંધોને થોડી સમજદારીથી નિભાવવામાં આવે તો ? પતિ પત્નીના સંબંધો બહુ નાજુક હોય છે. શરૂઆતમાં જો તેમાં ગાંઠ પડી ગઇ તો પછી તે ઉકેલવી બહું અઘરી પડે છે. બંને અલગ વાતાવરણમાંથી આવ્યા છે. બંનેના વિચારો , ઉછેર બધું સ્વાભાવિક રીતે જ અલગ હોવાનું. ત્યારે બંને એ એકબીજાને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરી એકબીજાને થોડો સમય આપવો જ રહ્યો. એક છોકરી બધું છોડી તેને ભરોસે.તેને એક ને વિશ્વાસે આ ઘરમાં આવી છે. તેને લીધે તેણે ઘરની બીજી વ્યક્તિઓને પણ તેણે સ્વીકાર્યા છે. તો તેના પ્રત્યે તેની પણ કોઇ ફરજ છે. અને સમય પ્રમાણે માન્યતાઓમાં ફેરફાર કરી સંકુચિતતા છોડવી જ રહી. આખરે સંબંધોને કંઇ એમ નાની વાતમાં વણસવા થૉડા દેવાય ?

સંબંધો તો એક મોટી જવાબદારી છે. તેને સમજણથી નિભાવાય તો જ સંબંધનો સેતુ બનાવી શકાય. અને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડી શકાય..તોડવું તો બહું આસાન છે..જોડવું કઠિન જરૂર છે..પણ એ જોડાય છે ત્યારે જ સંબંધોનું અને જીવનનું સૌન્દર્ય પ્રગટી શકે છે.

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ…)

8 Comments

  1. 1

    ‘Asocyaananvasocastvam prajnaavaadaamsca bhaasase
    Gataasoonnagataasoomsca naanusocanti panditaah.” (Gita 2:11)

    “Arjuna, you grieve for those who should not be grieved at, yet speak as if a man of wisdom. The wise grieve, neither for the living, nor for the dead.” (Gita 2:11)

    Comments -

    (A man goes through grief when he classifies persons and objects of the world into two divisions - these are mine and these are not mine; these are part of my close family and these are not part of my close family, these are from our caste and these are not from our caste, these are from our stage of life and these are not from our stage of life, these are in our favor (from our party, group, following etc), these are not in our favor (from our party, group, following etc). Those that we ragard as ours, we develop a sense of mine, attachment, desire, and fondness for them. It is due to these - a sense of mine and desire etc., that one experiences grief, worries, fear, perturbation, agitation and strain etc., and inaddition, numerous other faults arise. There are no faults, arising without a reason, that is not resulting from sense of mine and desire etc. This is a rule.

    At the beginning of the Gita, Dhratarastra asked, “What did my sons and the sons of Pandu do?” It shows his partiality towards his own sons and attachment for them, though the Pandavas regarded him more than their father.

    The attachment that Dhratarastra has, Arjuna also developed similar attachment, but Arjuna’s attachment was not like Dhratarastra’s. Unlike Dhratarastra, Arjuna did not have partiality, rather he was impartial and so he uses the terms “Seeing all these relations” (Gita 1:2 8) “Drshtvenam svajanam” and even calls Duryodhan part of his relations. He then says “How can we, by killing our own kinsmen, be happy” (Gita 1:37) “svajanam hi katham hatvaa sukhinam syaam maadhava.” It means that Arjuna had attachment for the entire Kuru family, and because of possibility of destruction of the family, he was grieving. To remove this grief, Lord Krishna preaches the gospel of the Gita, which begins with this eleventh verse. In the end, Lord Krishna declares that it is improper for Him to grieve and he should take refuge in Me (God) alone, and not grieve - “Grieve not” (Gita 18:66). The reason is, that dependence on the world leads to grief, while supreme or exclusive devotion to
    the Lord, leads to a state which is free from all grief and worries)

    From “The Bhagavad Gita - Sadhak Sanjivani” in in Hindi page 52, in English pg 87 by Swami Ramsukhdasji

    સંબંધો તો એક મોટી જવાબદારી છે. તેને સમજણથી નિભાવાય તો જ સંબંધનો સેતુ બનાવી શકાય. અને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડી શકાય..તોડવું તો બહું આસાન છે..જોડવું કઠિન જરૂર છે..પણ એ જોડાય છે ત્યારે જ સંબંધોનું અને જીવનનું સૌન્દર્ય પ્રગટી શકે છે.
    WE WISH TO SEE YOU SOON.
    YOU KNOW AND LIVE WHAT YOU WRITE FOR SURFER LIKE ME…..

    RAJENDRA

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  2. 2

    આપની વાત સાવ સાચી છે..”એક સ્ત્રી જયારે હસી ઉઠે ત્યારે તે અન્યની જિંદગીમાં પણ ખુશી ભરી શકે..એ સત્ય યાદ રાખવું ઘટે..” પણ એક છોડ ને એક જમીન માંથી ઉખાડી બીજી જમીન માં રોપો,ત્યારે એ માળી ની પણ થોડી જવાબદારી બને છે કે એને પુરું પોષણ મળે, એ ખીલી શકે એવું વાતાવરણ મળે..!!સાથે એ પણ સત્ય છે ને,કે એક છોડ,થોડાક સમય માં ઘટાદાર વૃક્ષ બની સૌને છાંયો આપવાનું છે ને..!

  3. 3
    vijayshah Says:

    સંબંધો તો એક મોટી જવાબદારી છે. તેને સમજણથી નિભાવાય તો જ સંબંધનો સેતુ બનાવી શકાય. અને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડી શકાય..તોડવું તો બહું આસાન છે..જોડવું કઠિન જરૂર છે..પણ એ જોડાય છે ત્યારે જ સંબંધોનું અને જીવનનું સૌન્દર્ય પ્રગટી શકે છે.

    vah ! bahu ja saras chiNtan!

  4. 4
    neeta Says:

    એક સ્ત્રી જયારે હસી ઉઠે ત્યારે તે અન્યની જિંદગીમાં પણ ખુશી ભરી શકે..એ સત્ય યાદ રાખી શકાય તો ?

    તો…તો…તો…તો…

    બધામાં આ તેર મણ નોં તો જ ભરી પડે છે ને…..

  5. 5
    j4jules Says:

    this one is to good to be true - does it happen in real life?

  6. 6
    Chetan Tataria Says:

    Very nice article.
    ~
    This is the burning issue of society. One women, who born and brought up in one house, there when she wants to do something, her mother says “when you go to your house(husband’s house), do there whatever you want. And when she comes to her new house, there she have so many restrictions that she can not do anything of her wish.
    ~
    If mother-in-law understand this and gives a permission to do as per her wish, then I guess the issue will be resolved. And woman will obviously know the “Maryada” of her home, so she will not do anything wrong which will affect the owner and prestige of his home and family.
    ~
    Elder can guide them if they are on wrong path, but should not restrict them just for the sake of wrong custom and the “Ego”.

  7. 7
    Pinki Says:

    very nice aunty,
    i think, it can be happened in real life
    if someone awakes after reading this kind of articles…. !!

  8. 8

    When girl gets married, she has to enter in different environments. No two fingers are same. No two families are same.
    Initial period is the time for adjustment. Mother and mother in law is just a little diifferent. But they both are MOTHERS. If you keep that in mind 75 0/0 problems solved before they arise.
    The way new comer has to get adjusted, even mother in law has to get adjusted too, It should be slow and steady process. It is not hard,just you have to be persistent. (both the parties). Victory is there.

RSS Feed for this entry

Leave a Comment