પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આમ્રપાલી.. December 16, 2007

નખશિખ સૌન્દર્ય બની ગયું,
એનો અભિશાપ..
એ નગરવધૂ જ બની શકે
કૂળવધૂ નહીં…
રાજ્ય આખાનું મનોરંજન કરી શકે..
પોતાનું નહીં!
લોકો પોતાનો થાક ઉતારવા..
ગમ ભૂલાવવા…
એના સપ્તભૂમિપ્રાસાદે પધારે..
આમ્રપાલી એનો ગમ
કયાં જઇને ભૂલાવે?
એનું અંતર કયાં જઇને ખોલે?
એના સૌન્દર્યનો થાક કયાં ઉતારે?

 

5 Responses to “આમ્રપાલી..”

  1. neeta Says:

    હ્રદય સ્પર્ષી વાત કહી

  2. manvant Says:

    saras!

  3. mehta preeti Says:

    સરસ લખ્યું છે..

  4. Harnish Jani Says:

    Jawaab chhe—Bhagwan Buddha na sharaN ma.
    Dhammam SharaNnam Gachhami–………………….

  5. વિવેક ટેલર Says:

    સુંદર કાવ્ય… પાછળના પ્રશ્નો ત્રણવાર કહેવાને બદલે એક જ વાર કહી કાવ્ય થોડું ઓછું મુખર કરી શકાયું હોત તો કદાચ વાત વધુ ન જામત? વેલ, આ મારું માનવું છે…

Leave a Reply