પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગઝલ ગમતી… August 27, 2007

પ્રીતનું સૂરીલું નજરાણું નથી,
હોઠ પર અવ ગીત કે ગાણું નથી,
સોનવરણું સાંજનું ટાણું નથી,
રાતમાં યે કંઇ ઠેકાણું નથી.
યાદને જોવા ગમે છે
અશ્રુઓ યાદને સમજાવો એ આણુ નથી
લોકલાજે એમને લેવું પડયું
સાચું આ સાચે જ ઉપરાણું નથી
. માનવીના કદ નિહાળી થાય છે
માનવીનું નક્કી પરમાણું નથી
શબ્દ ખખડાવે નહીં તો શું કરે?
કોઇની પાસે નગદ નાણું નથી,
દેવદુર્લભ દર્દની છે દેણગી,
શાયરી શબ્દોનું ઉઘરાણું નથી

“ઘાયલ”

અમે ધર્મમાં નથી માનતા… અમે તો માત્ર માનવધર્મમાં જ માનીએ છીએ.તેમ કહીને ધર્મનો સમૂળગો છેદ ઉડાડનાર સામે વિનોબાજી લાલબત્તી ધરે છે.”આપણે માનવતાનું..કરૂણાનું કામ કરીએ એટલે ધર્માચરણ થઇ ગયું એવી ભૂમિકા આપણી ન હોવી જોઇએ.માનવતા તો ઓછામાં ઓછો ધર્મ છે.દરેક ધર્મ તેમાંબતાવવામાં આવેલી માનવતા અને કરૂણાથી વિશેષ છે.દરેક ધર્મમાં માનવતા ઉપરાંત કેટલાક ગૂઢ આધ્યાત્મિક અનુભવો હોય છે…
દુ:ખની વાત એ છે કે ધર્મના અનુયાયીઓ વચ્ચેનો ઝગડો ધર્મના મૂળભૂત સત્યો માટે નથી હોતો પરંતુ દેવસ્થાન,ઉપાસના પધ્ધતિ,વેશભૂષા,ભાષા, જુદા જુદા કાયદા વિગેરે ક્ષુલ્લક તત્વો છે ધર્મના નથી તેના માટે છે.તેઓ ધર્મના આત્મા ને છોડી,ધર્મના કલેવર પાછળ દોડે છે.ધર્મનું આ બાહ્ય કલેવર અત્યારે આ વિજ્ઞાન યુગમા નકામં અને બોજારૂપ છે. ધર્મ અને રાજકારણનોયુગ સમાપ્ત થઇ ગયો છે.હવે વિજ્ઞાન અને અધ્યાત્મનો યુગ છે.. ખરું જોતા હજી સુધી ધર્મની સ્થાપના થઇ જ નથી.આજે આપણે જેને ધર્મ કહીએ છીએ,તે બધા ધર્મ નથી,પંથ છે,સંપ્રદાય છે,મજહબ છે.માનવીએ સંપ્રદાયોથી ઉપર ઉઠવાનુ છે અને એક માનવધર્મ વિકસાવવાનો છે.વિજ્ઞાનની ભૂમિકા પર સાચા ધર્મની સ્થાપના થવી જોઇએ.

અને આ સ્થાપના ત્યારે જ થઇ શકે જો માણસ તેના અંતરાત્માને એટલે કે” અંતર ની વાણી” ને સાંભળી શકે…સાંભળવાની સમજવાની સાધના અવિરત ચાલુ રાખે તો જ..ત્યારે જ…!!!

 

7 Responses to “ગઝલ ગમતી…”

  1. સુરેશ જાની Says:

    Didi,
    My fav subject. But is there anything like ‘Antaratma’ existing in modern world? All are engaged in a ‘Rat Race’ for prosperity and recognition in society and have no time for a dialogue with self.

    So Sampraday industry prospers. Sampradays are not only in religious field, everywhere there are Fences and boundaries - strugglles and strategies to keep our fences intact.
    Science and technology have made tremendous progress, but all of them too are used for fortification of these fences.
    Even in poetry there are boundaries and barriers. BHAAV is simply ornamented by ‘Vani Vilas’

  2. વિવેક Says:

    સુંદર રચના….

  3. Shailesh Says:

    Hi dear,
    It’s very nice gazhal i realy impressed.

    I hope I would read lots gazhal from you dictionery in future.

  4. વિશ્વદીપ બારડ Says:

    દેવદુર્લભ દર્દની છે દેણગી,
    શાયરી શબ્દોનું ઉઘરાણું નથી
    sundar!

  5. vijayshah Says:

    ગઝલ સુંદર છે તેમા તો કોઇ બે મત નથી

    વિચાર ધારા ગઝલ્થી ક્યારે જુદી પડી ગઇ તે ન સમજાયુ… પણ તેની રીતે તે પણ સુંદર છે
    જેમકે ગઝલ એક વિચાર અને માનવ ધર્મ એ બીજો વિચાર અને બંને ઉત્તમ! અભિનંદન!

  6. manvant Says:

    શાયરી શબ્દોનું ઉઘરાણું નથી…..સાચો ઉદ્ગાર છે બેના !

  7. pradipsinh Says:

    ગઝલ સુંદર છે

Leave a Reply