પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શું વરસે તો June 12, 2007

ગોંરંભાયેલું આકાશ તો…..
વરસી ને થઇ ગયું ચોખ્ખુંચણાક….
પણ મન ના આ ગોરંભા નું શું?
વેરવિખેર લાગણીઓ…
અને ખાટી-મીઠી કંઇ યાદો.
લાખ લબાચા થી લથબથ
ગોરંભાયેલું આ મન…….
શું વરસે તો? થાય ચોખ્ખુંચણાક….!!!!

નીલમ દોશી