પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગમતી પંક્તિઓ.. March 29, 2007

શાને બધું માપસર?શાને નિયંત્રણો?
જીવનમાં કદી ઉન્માદ જોઇએ.

સગપણ કે મૈત્રી,વર્તુળે હાંફી જવાય છે,
બહાનુ બીજું જીવી જવા એકાદ જોઇએ.

ફળિયુ લઇ ને લોક બધા પડસાળે ઉભા,
પીઠીવરણા અવસરને અજવાળે ઉભા.

શ્વાસના સગપણ ને સામટા ભેગા કરીને
નજરું ના નોતરા પાથરી બેઠો છું.

પ્રીત્યુ તો શ્રાવણની સાંજ મોરી સૈયર,
પ્રીત્યુ નઇ વૈશાખી રાત
પ્રીત્યુ નઇ વેવારી વાત.

 

Leave a Reply