“પ્રુથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટતી,
પ્રકાશ ભણી જતી,
ઝંખના…..એ પ્રાર્થના.”
હું વ્રત,એકટાણા,ઉપવાસ કરું
અને મારા મનમાંથી ગુસ્સો,ઇર્ષ્યા,ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું તપ મિથ્યા છે.
હું મંદિરે જાઉં,ફૂલ ચડાવું,માળા ગણુ
અને મારા કર્મમાંથી સ્વાર્થ,લોભ,મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.
હું મંદિરે હું હું જપ કરું.સત્સંગ કરું,ધ્યાન કરું
અને માર અને મારા ચિત્તમાંથી અહંકાર,અભિમાન,મોટાઇનો ભાવ,
નિર્મૂળ ન નિર્મૂળ ન થાય,તો મારી એ ઉપાસના મિથ્યા છે.
હું એકાંતમાં જાઉં,વૈરાગ્ય ગ્રહું,મૌન પાળું
અને મારી ઇચ્છાઓ-વૃતિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.
હે પરમાત્મા,હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં
અને મારા જીવન માં પ્રેમ,કરૂણા,મૈત્રી,આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.
-પરમ સમીપે માંથી સાભાર.