પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

મનગમતું… August 27, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 2:26 pm

1)    ગાઢ અંધારું ભલેને ચોતરફ ઘનઘોર છે,
                           પાતળી એને હજુ પણ એક રૂપેરી કોર છે.

 

                       2)  નીલગગન એ નથી જગતને લડવાનું મેદાન
                           સ્રુષ્ટિનો છે ચંદરવો,ને તારલિયાનું ધામ
                          કાળા-ધોળા વાદળ વચ્ચે
                          વીજળીનો ચમકાર
                          પ્રક્રુતિને પૂજો એ સંસ્ક્રુતિ વિધાન…
                          છૂપાઇને પરમ પિતા તું,
                          સકળ વિશ્વને કરે પ્યાર.

                         3)  લીલા રહે છે તોરણો અવસર સુધી.

 

 

મનગમતું… August 27, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 2:26 pm

1)    ગાઢ અંધારું ભલેને ચોતરફ ઘનઘોર છે,
                           પાતળી એને હજુ પણ એક રૂપેરી કોર છે.

 

                       2)  નીલગગન એ નથી જગતને લડવાનું મેદાન
                           સ્રુષ્ટિનો છે ચંદરવો,ને તારલિયાનું ધામ
                          કાળા-ધોળા વાદળ વચ્ચે
                          વીજળીનો ચમકાર
                          પ્રક્રુતિને પૂજો એ સંસ્ક્રુતિ વિધાન…
                          છૂપાઇને પરમ પિતા તું,
                          સકળ વિશ્વને કરે પ્યાર.

                         3)  લીલા રહે છે તોરણો અવસર સુધી.

 

 

મને ગમતું… August 27, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 2:13 pm

ઓસબિંદુએ 
 સમાવ્યું છે નિજમાં,
   વ્યોમ વિરાટ.

અમે તો દૂધનો પ્યાલો થઇનેક્યારના બેઠા,
હવે તું આવીને…
સાકર બની ને ભળ ગમે ત્યારે.

 

છેડવાથી શકય છે,રણકી ઉઠે;
મન,વીણાના તાર જેવું હોય છે.

 

હીંચકો ગાય છે

 વ્રુધ્ધોને હાલરડા.  

 

કાવ્યને સથવારે.. August 27, 2006

Filed under: કાવ્યસંગીત — nilam doshi @ 1:58 pm

સુખો,દુ:ખો આવશે,ભરતી ઓટ લાવશે,
સાગર થઇ ને એટલું કહેજે,
સઘળું મુજને ફાવશે.ઉત્સાહે ઉછળતો રેજે,
કિનારાને મળતો રે
જે.
 
હસતો રે
જે,રમતો રેજે,
ધીરજથી ધસમસતો રેજે..

એક પગલું તડકામાં,એક પગલું છાંયામાં
ગતિ કદી અટકે નહીંપ્રકાશ કે પડછ્યામાં
ધ્યેય તરફ તું ધપતો રેજે.
કોઇ તને ધિકક્કારશે,કોઇ વળી સ્વીકારશે,
સઘળા સગપણ સ્થિર નથી…
અતૂટ નાતો એક અલખનો…
બાકી સઘળો ખેલ પલકનો.

 

ગણપતિના જીવન પ્રતીકો August 27, 2006

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:24 am

  આજે ગણેશ ચતુર્થી.ચારેતરફ ગણપતિબાપા મોર્યા ના પડઘમ સંભળાઇ રહ્યા છે.દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશપૂજન થી થાય છે.લગ્ન પ્રસંગ હોય,કે લક્ષ્મી પૂજનનો,શિલારોપણ હોય કે કુંભ મૂકવાનો હોય,મંદિરમાં ખુદ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તો પણ પહેલું પૂજન ગણપતિનું જ હોય.ગણપતિની મૂર્તિ ન હોય તો સોપારીના ગણપતિ બનાવવાના પણ પૂજા તો પહેલી ગણેશજીની જ! આનાથી આપણે બધા પરિચિત છીએ જ.અને કરીએ પણ છીએ જ.

ગણેશજીના સ્વરૂપથી આપણે સુપરિચિત છીએ.આજે આપણે તેમના આ સ્વરૂપ પાછળનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીશું.

  • ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે.
  • ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે બીજા જીવજંતુઓનું પેટ ભરાવું જોઇએ.એવી ઉદાર વ્રુતિ છે.આમ નેતામાં અન્યને ખવડાવીને ખાવાની વ્રુતિ હોવી જોઇએ..એવું સૂચન છે.
  • ગણપતિના કાન પણ હાથીની જેમ સૂપડા જેવા છે.સૂપડાની જેમ સાર રાખીને ફોતરા ઉડાડી દેવા જોઇએ .એવું સૂચન અહીં સમાયેલું છે.વળી મોટા કાન ઉત્ક્રુષ્ટ શ્રવણ-ભક્તિ સૂચવે છે.
  • ગણેશજીની હાથી  જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.
  • હાથીની જેમ ગણપતિનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે.અર્થાત નેતામાં દૂરદર્શિતા હોવી જરૂરી છે.
  • ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો..આખો દાંત શ્ર્ધ્ધાનો અને અડધો બુધ્ધિનો સૂચક છે.જીવનમાં બુધ્ધિ કદાચ થોડી ઓછી હોય તો ચાલે પણ શ્ર્ધ્ધા તો સંપૂર્ણ જ હોવી જોઇએ.
  • ગણપતિ ને ચાર હાથ છે.એક હાથમાં અંકુશ,બીજામાં પાશ,ત્રીજામાં મોદક અને ચોથો આશીર્વાદથી સભર છે.અંકુશ દર્શાવે છે કે વાસના,વિકારો પર જીવનમાં અંકુશ..અર્થાત સંયમ  હોવો જરૂરી છે.જયારે પાશ સૂચવે છે કે..જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ હોવું જોઇએ.મોદક એટલે મોદ કરાવે અર્થાત..આનંદ કરાવે તે.બીજાને ખુશી આપવાનું સૂચન અહીં સમાયેલ છે.ચોથો હાથ આશીર્વાદ નું પ્રતીક છે.
  • તેઓ લંબોદર કહેવાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એનું સૂચન છે.સાગરની માફક નેતા બધી વાતોને પોતાની અંદર સમાવી દેવા સમર્થ હોવો જોઇએ.
  • તેમના પગ નાના છે.તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી.ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીરનું સૂચન કરી રહ્યા છે.પ્રુથ્વી પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરી ને,બુધ્ધિ નો ઉપયોગ કરીને પોતાના ભાઇ કાર્તિકેય આગળ શરત જીત્યા હતા તે વાત થી આપણે સૌ પરિચિત છીએ જ.
  • વળી તેમનું વાહન ઉંદર છે.જે સહેલાઇથી દરેક ના ઘરમાં પ્રવેશી શકે.અર્થાત  મહાપુરૂષોના સાધનો એવા નાના  અને નમ્ર  હોવા જોઇએ કે જે ઘરઘરમાં પ્રવેશ પામી શકે.
  • ગણેશને દુર્વા પ્રિય છે.લોકોને મન જેનું કોઇ મહત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું ને તેની કિંમત વધારી.અર્થાત નાના લોકોની અવગણના કરવાને બદલે તેમને પણ યોગ્ય સન્માન આપવું જોઇએ.
  • તેમને લાલ ફૂલ પ્રિય છે.લાલ રંગ ક્રાંતિ નો સૂચક છે.નેતાને હમેશા ક્રાંતિ પ્રિય હોવી જોઇએ.તેમને આપને અક્ષત અર્થાત ચોખા ચડાવીએ છીએ.અક્ષત એટલે જે અખંડ છે.દેવ પ્રત્યે આપણી ભક્તિ અખંડ હોવી જોઇએ.
  • ગણપતિને વક્રતુંડ કહે છે.આડે અવળે ચાલનાર ને જે દંડ આપે છે તે વક્રતુંડ.
  • ગણેશ ચતુર્થી ને દિવસે આપણે જે ગણપતિ લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચર્તુદશી ને દિવસે કરીએ છીએ.અર્થાત જે શાંત છે તેને અનંતમાં,સાકાર ને નિરાકારમાં અને સગુણ ને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ.જીવનમાં પણ અંતે નિરાકાર એટલે કે ઇશ્વર તરફ પ્રયાણ કરવાનું સૂચન સમાયેલ છે.
  • આવી વિઘ્નહર્તા ગણપતિના જીવન નો સાચો સંદેશ સમજીને જીવનમાં ઉતારી શકીએ તો જીવન સાર્થક બની શકે.આજે આ નવી દ્રષ્ટિ થી ગણપતિના દર્શન કરીશું?
  • કોટિ કોટિ નમન ગણપતિબાપાને! અંતે ગણપતિ બાપા મોર્યા …કહેશું ને?
  • અસ્તુ
  • નીલમ દોશી