પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ધર્મ… સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ… January 11, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 6:00 am

આજે 11 જાન્યુઆરી..સ્વામી વિવેકાનંદના જન્મદિવસ… નિમિત્તે….તેમને વંદન સાથે….

મહાપુરૂષોનું જીવન તેમના વરસોથી નહીં પણ કાર્યોથી મપાય છે.”હું મારું 40મું વર્ષ નહીં જોઉં” એવી આગાહી કરનાર ….”ઉઠો,જાગો” નો મહામંત્ર આપનાર સ્વામી વિવેકાનંદે આજ્થી 106 વરસો પહેલાં ધર્મ વિષે જે વિચારો ન્યુયોર્કમાં રજૂ કરેલ…તે આજે પણ એટલા જ સાચા..કે પછી આજના સંદર્ભમાં જોતા તો વધારે સાચા…સમજવા વધારે જરૂરી (અને આચરવા તો એનાથી પણ વધારે જરૂરી) બની ગયા લાગે છે.

સ્વામીજીએ પોતાનેએ આકરી જીવનસાધના દ્વારા સદીઓ સુધી પહોંચે તેવું વિરાટ કાર્ય આપણા માટે કરી રાખ્યું છે.અને આ બધું અલ્પ સમયાવધિમાં.ભારતના ઇતિહાસને નવા પરિમાણો આપનાર વિરલ વિભૂતિઓમાં તેમનું સ્થાન ગૌરવવંતુ છે. ધર્મ અને વિજ્ઞાન,પ્રાચીન અને અર્વાચીન,પૂર્વ અને પશ્વિમ,વ્યવહાર અને પરમાર્થ.સન્યાસ અને સંસાર…આવા અનેક દ્વન્દો વચ્ચે નવયુગના આ મહાન “સમન્વયાચાર્યે” પોતાની અપૂર્વ સાધનાથી એક અતૂટ સેતુ બાંધ્યો અને ભાવિ પેઢી માટે જીવનનો ધોરી માર્ગ… રાજમાર્ગ..રચી આપ્યો.’અચલાયતન’ બની રહેલ રાષ્ટ્રને તેમણે “ઉઠો જાગો” નો મહામંત્ર સંભળાવ્યો.અને સૈકાઓ જૂના વેદાંતના પડઘમમાંથી અબિનવ સૂરાવલિઓનું ,સંપ્રદાયોની દીવાલો ને ભેદતું..મહાસંગીત સંભળાવ્યું.યોગ,જ્ઞાન ,ભક્તિ અને કર્મનો સમન્વય એ સ્વામીજીનો આદર્શ.
તેમણે કહેલી ધર્મ વિશેની એક એક વાત આજે ફરીથી તાજી કરીએ….સમજીએ અને સમજાવીએ તો ધર્મને નામે ઉભા થતા વિવાદ,કલહ…નું અસ્તિત્વ જ ન રહે. તેમણે એક વાત વારંવાર કહી છે કે ખ્રિસ્તી એ હિન્દુ કે બૌધ્ધ બની જવાનું નથી.પરંતુ દરેક ધર્મના મનુષ્યે અન્ય ધર્મની ભાવનાને આત્મસાત્ કરવાની ચે અને પોતાનું સ્વત્વ પણ જાળવી રાખવાનું છે.કાળ ની રેતી પર પોતાના વિચારો અને કાર્ય દ્વારા પગલા પાડી ને તેમણે ભાવિ પેઢી માટે પ્રગતિનો પંથ ખુલ્લો કર્યો..
”વિવેકાનંદ અને ધર્મ” માંથી…તેમના જ શબ્દોમાં વારંવાર પુનરાવર્તન કરતા રહીએ..તે સાંપ્રત પરિસ્થિતિ માં ખૂબ જરૂરી નથી લાગતું?
“આજે એવો સમય આવી ગયો છે કે માણસ એક પણ વિચાર એવો ન કરી શકે…કે જે દુનિયાને દરેક છેડે..પહોંચ્યા સિવાય રહી શકે.માત્ર ભૌતિક સાધનો વડે પણ આપણે આખી દુનિયાના સંપર્કમાં પહોંચી ચૂકયા છીએ.અને તેથી જ દુનિયાના ધર્મોએ પણ તેટલા જ વિશ્વવ્યાપી અને ઉદાર બનવું પડશે.(યાદ રહે આ શબ્દો 100 વરસ પહેલાના છે…જ્યારે નેટ જગત…સાયબર જગત નહોતું આવ્યું…આજે તો દુનિયા એનાથી યે વધુ નજીક આવી ગઇ છે.સ્વામીજી કેટલા આર્ષદ્રષ્ટા હતા!!!)

“માણસજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળોએ કામ કર્યું છે…ને હજુ પણ કરી રહ્યા છે…તે બધામાં જેના અભિવ્યક્તિ ને આપણે “ધર્મ “કહીએ છીએ….તેના કરતાં વધારે શક્તિશાળી બીજું એકે ય પરિબળ નથી.
ગ્રહો અને તારાઓનું સંચાલન કરતા નિયમોનું જ્ઞાન હોવું એ મહત્વપૂર્ણ અને સારું છે.પરંતુ માનવમનની ઇચ્છાઓ…લાગણીઓ અને આવેશોને કાબુ માં રાખતા નિયમોનું જ્ઞાન વધુ જરૂરી અને વધુ મહત્વનું નથી લાગતું?આપણી અંદરના માનવીને જીતવાનું..માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓના રહસ્યને સમજવાનું…તેના રહસ્યો ઉકેલવાનું કામ માત્ર ધર્મનું જ છે.
એક વિશાળ રેલ્વે એંજીન રેલ્વે લાઇન પર ધસી રહ્યું હોય…તે વખતે એક નાનકડું જીવડું…જે પાટા પરથી પસાર થતું હોય તે એંજીનના માર્ગમાંથી ખસી જઇ ને પોતાનો જીવ બચાવી શકે છે.પ્રાણહીન અને પ્રાણવાન વચ્ચેનો આ ભેદ છે.
વિશાળ એંજીન ની તુલનામાં તે નાનકડું જીવડું પણ ભવ્ય પ્રાણી છે.અનંતનો એ નાનો સરખો અંશ છે.અને તેથી તે શક્તિશાળી યંત્ર કરતાં વધુ મહાન છે.તેનામાં સ્વાતંત્ર્ય છે..બુધ્ધિ છે.ઇશ્વરની કલ્પના એ માનવ બંધારણનું મૂળભૂત તત્વ છે.વેદાંતમાં સત –ચિત્ –આનંદ એ માનવ મનથી થઇ શકે એવી ઇશ્વરની સર્વોચ્ચ કલ્પના છે.

વિવિધ ધર્મો,મતો અને સંપ્રદાયો યોગ્ય જ છે…જે રીતે જે હોટેલમાં દરેક જાતનો ખોરાક મળે..તેમાં દરેક ને પોતાની ભૂખ સંતોષવાની તક પ્રાપ્ત થાય.કેમકે અંતિમ ધ્યેય ભૂખ સંતોષવાનુ છે.તેવી જ રીતે આપણે બધા અંતે એક જ લક્ષ્યે પહોંચવા મથી રહ્યા છીએ…તે જો જાણી લઇએ તો કલહને…ઝગડાને સ્થાન જ ન રહે.

એક માણસ સૂર્ય તરફ જઇ રહ્યો હોય….જેમ જેમ તે આગળ વધતો જાય..તેમ દરેક તબક્કે તે સૂર્યના ફોટા લેતો જાય છે.જયારે તે પાછો ફરે છે,ત્યારે તેની પાસે સૂર્યના જે ફોટા હોય છે..તેમાંથી કોઇ પણ બે ફોટા સાવ સરખા નથી.છતાં એમ કોણ કહી શકે કે આ બધા ફોટા એક જ સૂર્ય ના નથી?

જુદા જુદા ખૂણેથી એક જ મંદિરના ચાર ફોટા લો..તે અલગ દેખાશે.છતાં સત્ય એક જ રહેશે..કે તે એક જ મંદિરના ફોટા છે.
એજ રીતે આપણે બધા..એક જ સત્યને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ..અને તે આપણા જન્મ,કેળવણી,અને વાતાવરણ અનુસાર આપણને ભિન્ન લાગે છે.એટલે જુદા જુદા બધા ધર્મો ભિન્ન ભિન્ન શક્તિ છે.ને તેમાંથી એકેય નો નાશ થાય તેમ નથી.બધા ધર્મ માનવજાતના કલ્યાણ માટે જ કામ કરી રહ્યા છે.

હકીકતે વિશ્વધર્મ અસ્તિત્વમાં છે જ..જો પુરોહિતો..અને ઉપદેશકો..થોડા સમય માટે ઉપદેશ આપવાનું..પ્રચાર કરવાનું બંધ કરે તો આપણે વિશ્વધર્મને જોઇ શકીશું.પરંતુ તેઓ પોતાના સ્વાર્થ ને કારણે સાચા ધર્મને ખલેલ પહોંચાડતા રહે છે.(100 વરસો પહેલા સ્વામીજી એ કહેલા આ વાત આજે યે કેટલી સાચી છે.!!)

બધી ધર્મપ્રણાલિઓની એક જ નીતિ છે..દરેક ધર્મમાં એક જ ઉપદેશ અપાયો છે”સારા બનો…સારું કામ કરો…નિ:સ્વાર્થી બનો..બીજા ને ચાહો……”
એક કહે છે..”જેહોવા એ હુકમ કર્યો છે માટે..”કોઇ કહે છે..:જીસસની આજ્ઞા છે માટે”તો ત્રીજો કહે છે,”અલ્લાહનુ ફરમાન છે માટે” અને ચોથો કહે છે,”ઇશ્વરે કહ્યું છે માટે…”
હવે જો આ માત્ર ફકત “જેહોવા” કે “જીસસ”નો જ હુકમ હોત તો..જે લોકો જેહોવા કે જીસસને કદી જાણતા જ નથી..તેમની પાસે આ આજ્ઞા કેવી રીતે આવે?આદેશ આપનાર એક માત્ર વિષ્ણુ જ હોત તો તેની સાથે સાવ પરિચય વગરના યહુદીઓ પાસે તેવો જ આદેશ કેમ આવે?
માટે એ બધા કરતા..વધારે ઉચ્ચએવું ઉદભવસ્થાન બીજુ જ હોવું જોઇએ.કયાં છે એ? એ છે…”હલકામાં હલકાથી લઇ ને ઉંચામાં ઉંચા સર્વ પ્રાણીઓના અંતરાત્મામાં”
એક માણસ ધ્રુવનો તારો બતાવવાનું કહે તો સૌ પ્રથમ તમે તેને નજીકનો વધુ પ્રકાશિત તારો બતાવો..પછી એક ઓછો પ્રકાશિત તારો બતાવો..પછી એક ઝાંખો..અને પછી અંતે દૂરનો પ્રકાશિત તારો..ધ્રુવ નો તારો બતાવો…આ પ્રક્રિયા ધ્રુવના તારાને જોવા માટે સરળ છે.તે જ રીતે માણસને પણ આવી જ પ્રક્રિયા આસાન પડે છે.બધી જ વિવિધ સાધનાઓ…તાલીમો…વિધિઓ…બાઇબલ.કુરાન.ગીતા..ઇશ્વર..એ બધા ધર્મના માત્ર મૂળાક્ષરો છે.

જુદા જુદા રંગના કાચમાંથી બહાર પડતો પ્રકાશ મૂળે એક જ છે…માત્ર થોડા ફેરફારો…અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક હોય છે.બાકી દરેક ના હાર્દ માં એક જ સત્ય વિરાજતું હોય છે.

હાથી અને આંધળાની વાર્તા જાણી તી છે જ.હાથી ને જુદી જુદી જગ્યાએ સ્પર્શતી અંધ વ્યકતિ એક જ હાથી નું જુદુ જુદુ વર્ણન કરશે…પણ તેથી હાથી ના મૂળ સ્વરૂપ માં કશો ફરક પડતો નથી.

જગતના ધર્મો નો અભ્યાસ કરવામાં આવે તો..સામાન્ય રીતે બે પ્રણાલિઓ આપણી નજરે ચડે છે.1) ઇશ્વરથી આરંભ કરી મનુષ્ય સુધી પહોંચવાની…દા.ત.1) સેમેટિક જૂથ ના ધર્મો..જેમાં ઇશ્વરની કલ્પના લગભગ શરૂઆતથી જ હોય છે.

2)માનવમાંથી ઇશ્વર સુધી પહોંચવાની …

આ આર્યોની વિશેષતા છે.આર્યમાનવે હમેશા દિવ્યતાને પોતાની અંદર શોધવાનો પ્રયાસ કર્યો છે.

આજે પણ આપણે જો કોઇ ધાર્મિક માનવીનું પશ્વિમી કલાકારે દોરેલું ચિત્ર જોશું તો..ચિત્રકાર તેને ઉંચે આંખો કરેલ..પ્રકૃતિની બહાર ઉંચે આકાશમાં ઇશ્વરને શોધતો બતાવતો હશે..બીજી તરફ,,ભારતમાં ધાર્મિક વલણ ના પ્રતીકરૂપે માનવને ચિત્રમાં આંખો બંધ કરી ને બેઠેલો બતાવે છે.જાણે કે તે અંદર કંઇક જોઇ ન રહ્યો હોય!!

હકીકતે અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે.જ્યાં સુધી ચર્ચાઓ ચાલે ત્યાં સુધી ઇશ્વરપ્રાપ્તિ થાય નહીં….જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે?જયાં સુધી માણસો જમવા ન બેઠા હોય…અને પીરસાણું ન હોય ત્યાં સુધી.જેવા પૂરી શાક વિ..પતરાળામાં પડવા માંડે એટલે બાર આના અવાજ ઓછો થઇ જાય…અને બીજી ચીજો આવે એટલે અવાજ એથી યે ઓછો થઇ જાય…તે જ રીતે ઇશ્વરનો અનુભવ જેમ જેમ થતો જાય તેમ તેમ ચર્ચા..વાદવિવાદ ઓછા થતા જાય…અને ઇશ્વરપ્રાપ્તિ થયે અવાજ..ચર્ચા રહે જ નહીં.

“એકમ્ સત્ વિપ્રા બહુધા વદંતિ”
અર્થાત્ સત્ય એક જ છે..માત્ર ઋષિઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.

“ઇન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુચ્યો દિવ્ય: સ સુપર્ણો મરૂત્માન!
એકં સદ્વિપ્રા બહુધા વદન્યગ્નિં યમં માતરિશ્વાનમાહુ”!!
ઋગ્વેદ,,(1/164/46)

“અર્થાત્ જેમને તેઓ ઇન્દ્ર,મિત્ર,કે વરુણ કહે છે…જે એક જ અસ્તિત્વમાં છે..તે સત્ છે..જ્ઞાનીઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.”

”આત્મવત્ સર્વભૂતેષુ” બધા પ્રાણીઓને તમારા આત્મા જેવા ગણો…આ ઉપદેશ શું પુસ્તકમાં પૂરી રાખવા માટે કે વાતો કરવા માટે જ છે? ક્ષુધાર્તો ના ભૂખ્યા મોં માં જેઓ રોટલાનો ટુકડો આપી શકતા નથી..તેઓ બીજાના મુક્તિદાતા કેવી રીતે બની શકે?

જો ઓરડામાં અંધારુ હોય તો…અંધારું છે…અંધારું છે…એમ નિરંતર બૂમો પાડવાથી તે જવાનું નથી.તેનો ઉપાય દીવો કરવો તે છે.પ્રકાશને લાવો એટલે અંધકાર તેની જાતે અદ્રશ્ય થઇ જશે.વેદાન્ત કેસરી ને ગર્જના કરવા દો એટલે શિયાળવા બધા નાસી ને એની બખોલમાં ભરાઇ જશે.

સમગ્ર ભૂતકાળ અને ભવિષ્યકાળ અહીં વર્તમાનમાં જ છે.કોઇ માનવીએ કદી ભૂતકાળ ને જોયો નથી.તમે ભૂતકાળને જાણો છો..તેવો વિચાર જયારે કરો છો..ત્યારે તમે માત્ર વર્તમાનકાળમાં ભૂતકાળની કલ્પના જ કરો છો..ભવિષ્યને નિહાળવા માટે પણ તેને તમારે વર્તમાનમાં જ લાવવો પડશે.તો વર્તમાન એક જ સત્ય છે….બાકીનું બધું કલ્પના છે.
સમસ્ત વિશ્વ એક અસ્તિત્વ છે.તેના સિવાય બીજું કંઇ જ હોઇ શકે નહીં વિવિધતામાંથી આપણે સૌ વિશ્વવ્યાપી એકતા તરફ જવાનું છે….અને…આ એકતાની અનુભૂતિ એ જ ધર્મ!!!ધર્મ કદી તોડે નહીં..ધર્મ હમેશા જોડે.
ઉપનિષદોમાંથી બોંબની માફક ઉતરી આવતો એવો જો કોઇ શબ્દ હોય તો તે છે…..

”અભી..અત્યારે જ…”

ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અનુભૂતિ.

ઘણાં લોકો કહે છે કે અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો…પણ તેઓ હમેશા કહેતા…”પહેલાં તમે તમારી જાતમાં વિશ્વાસ શ્રધ્ધા રાખો..એ જ સાચો રસ્તો છે.

“ ઉધ્ધરેદાત્મનાત્માનમ્ “ અર્થાત મનુષ્યે પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરવાનો છે.

સામાન્ય રીતે માણસ પોતાની નિષ્ફળતાનો દોષ…સાથીદાર પર…નશીબ પર કે ઇશ્વર પર ઢોળતો હોય છે.પણ નશીબ કયાં છે?અને કોણ છે?”વાવીએ તેવું લણીએ” આપણા ભાગ્યવિધાતા આપણે જ છીએ.પવન તો વાયા જ કરે છે….પણ જે વહાણના સઢ ખુલ્લા હશે તેમાં જ પવન ભરાશે અને તે જ આગળ ચાલશે.પણ જેણે સઢ ખોલ્યા જ નહીં હોય..તેમાં પવન ભરાશે નહીં..એમાં પવન નો દોષ ખરો?

સ્વામીજી એક દ્રષ્ટાંત અવારનવાર આપતા.કેટલાક માણસો એક આંબાવાડી માં ગયા.ત્યાં તેઓ વૃક્ષોના પાંદડા તથા ડાળીઓ ગણવામાં..તેનો રંગ,લંબાઇ વિગેરે જાણવામાં મશગૂલ બની ગયા.અને પછી એ વિષય પર પંડિતાઇભરેલી ચર્ચા ચાલી.પરંતુ તેમાનો એક કે જે વધુ સમજદાર હતો..તે આ બધી વસ્તુઓની ચર્ચા…કે પરવા ન કરતા કેરીઓ ખાવા લાગ્યો.તો તે માણસ વધુ ડાહ્યો નહીં? માટે પાંદડા અને ડાળીઓ ગણવાનું કામ બીજા…જેને કરવું હોય તેના પર છોડી દો.પાંડિત્યપૂર્ણ તર્ક વિતર્ક ચાલતા હોય ત્યારે તમે બધું છોડી ને …જે અંતિમ ધ્યેય છે…તે……કેરીઓ ખાવા લાગી જાવ.”

“ વિવેકાનંદ અને ધર્મ”માંથી સંકલિત.

                                        નીલમ દોશી.

 

જિંદગીનું વ્યાકરણ…. January 10, 2006

જિંદગીના વ્યાકરણમાં આવું કેમ છે?
સંધિ થોડી અને વિગ્રહ ઝાઝા છે!

જંગલમાં શોધવાની એને જરૂર કયાં છે?
શહેરમાં વરૂઓની શું કોઇ ખોટ છે ?

યુગયુગ ની રામાયણ કયાં અલગ છે?
અગ્નિપરીક્ષા સીતાની આજે કયાં બંધ છે?

વૃક્ષારોપણના ઉત્સવોની કોઇ ખોટ છે?
 જંગલોના વિનાશની  જૂની અહીં વાત છે.

નિત નવી ફેશન સ્પર્ધાઓની ભરમાર છે
સંસ્કૃતિ રોજ રોજ અહીં શરમાણી છે

ગાંધીજી ની તસ્વીરોની કયાં કોઇ ખોટ છે?
સરકારી કચેરીઓમાં રોજ ની મુલાકાત છે.

ધર્મચર્ચા કે ધર્મગુરુઓની ન ક્શી યે ખોટ છે,
ધર્મ આચરણની  અહીં કયાં કોઇ વાત છે?

જીવનના મૂલ્યો ને કેમ ફૂટતી નથી કોઇ કૂંપળ?
વંશવેલો એનો વધવાને કેમ હજુ વાર છે?

                   નીલમ દોશી.

 

કરૂણ રસનો પોકાર… January 4, 2006

આમ તો હું વરસોથી કાવ્યો લખુ છું…અને ખુબ સરસ…હ્રદયસ્પર્શી કાવ્યો લખુ છું…એ મારો નમ્ર મત છે.બીજા કોઇનો હોય કે નહીં…પણ આ મારી અંગત માન્યતા છે..જેને હું સુધારવા નથી માગતી…મારા વિષે કે મારા કાવ્યો વિષે બીજું કોઇ આવું ન માની શકે કે ન સ્વીકારી શકે તેમાં મારો કોઇ વાંક નથી..એ એમની ખામી ..એમના નશીબ…એમાં હું શું કરી શકું?

જોકે બની શકે કે એ મહાન કાવ્યો હજુ આપ કોઇ સુધી પહોચી શકયા ન હોય…જેથી આપને એનું મૂલ્યાંકન કરવાનો અમૂલ્ય લહાવો ન મળ્યો હોય.કેમકે હજુ સુધી કોઇ મેગેઝીન કે કોઇ કચરા જેવા છાપા સુધી યે મારા એ મહાન કાવ્યો પહોચી શકયા નથી.કેમકે એના તંત્રીઓ એ કાવ્યો સમજી કે માણી શકે તેવા સક્ષમ નથી.પણ એ યે મારો વાંક તો નથી જ.

જોકે હું એથી બહું ખુશ છું.કેમકે મને ખબર છે..આપણા દેશમાં આપણી કોઇ મહાન વ્યક્તિઓની કદર થઇ જ નથી.પહેલાં વિદેશની ધરતી પર એની પહેચાન થઇ છે અને પછી જ આપણને કહેવામાં આવ્યું કે તમારા દેશની આ વ્યક્તિ આટલી મહાન છે.અને ત્યારે જ આપણે સફાળા જાગ્યા છીએ.ઇતિહાસ આવા અનેક ઉદાહરણોથી ભરપૂર છે.એની તો કોઇ ના પાડી શકે તેમ નથી.તેથી અહીં મારા કાવ્યો કોઇ સમજી નથી શકતા અને સાભાર પરત કર્યે રાખે છે એથી હું સ્વાભાવિક રીતે જ બહું ખુશ છું…બસ….હવે કોઇ વિદેશથી માઇ નો લાલ જાગે અને મારા કાવ્યની કદર કરે એટલી જ વાર છે.અને પછી …..પછી તો મેરા ભારત મહાન છે જ…( શ્રી સુરેશદાદા,શ્રી વિજયભાઇ વિગેરે વિદેશી મિત્રો સૌના અમૂલ્ય સહકારની મને આશા જ નહીં  વિશ્વાસ છે…!!!!!) 

આ તો જોકે આડવાત થઇ.હકીકતે મને યે મારા કાવ્યોની ખામી ની….એક મહાન ખામી ની ખબર છે.અને એનો આજે હું જાહેરમાં સ્વીકાર કરતાં યે અચકાઇશ નહીં.આજે મને અચાનક ખ્યાલ આવ્યો કે મારા કાવ્યો માં શું ખૂટે છે….

યસ..મારા કાવ્યોમાં ખૂટે છે…..કરૂણ રસ…..હમણાં જ મેં એક જગ્યાએ આ વાંચ્યું…કે..”કાવ્યો કે ગીત કે ગઝલ શાહી થી નહીં લોહી થી લખાય અને તો જ મહાન કાવ્યોનું …યાદગાર કાવ્યોનું સર્જન થઇ શકે.

અને મેં તો તરત હાથમાં એક નાજુક મજાનો નમણો..નાનકડો ચીરો પાડયો…(કાવ્યો માટે તો હું ગમે તે કરી શકું..મારા કાવ્ય પ્રેમ માટે હું કુરબાન થઇ શકું..એક કાપાની શી વિસાત ?)અને એ ચીરામાંથી લાલ ચટક રંગનું ધગધગતું લોહી…નસોમાં વહેતું ઉષ્ણ….જીવંતં લોહી …બહાર ધસી આવ્યું…હું આનંદભરી આંખે એની સામે જોઇ રહી…હવે આ લોહીમાંથી સર્જાશે અદભૂત કાવ્યો…. જે મને મહાન કવિઓની હરોળમાં મૂકી નોબેલ પ્રાઇઝ સુધી પહોચાડશે…એનો મને વિશ્વાસ છે.પરમ વિશ્વાસ….અને વિશ્વાસથી મોટી બીજી કોઇ વાત છે?તમે જ ભલા કહો..

હા,તો ગરમગરમ લોહીમાં પેન ઝબોળી…મેં કાવ્ય લખવાની મહાન શરૂઆત કરી…પણ થયું એવું કે મારે લખવાનું હતું એક દીર્ઘ કાવ્ય…અને એટલું લોહી એ માટે પૂરતું નહોતું…પણ વાંધો નહીં..કાવ્ય માટે તો હું ગમે તે કરી શકું..મારા શરીરનું એક એક ટીપુ..કતરા કતરા લોહી..અંતિમ શ્વાસ સુધી નું લોહી હું બહાવી દઇશ…(કોઇ ફિલ્મી ડાયલોગ લાગે છે ને?મને યે લાગે છે…ફિલ્મોની અસર વિષે ભવિષ્યમાં હું એક સરસ મજાનો લેખ લખવાની જ છું…)

હા,તો હું તો વધારે લોહી કાઢવાના વિચાર માં જ હતી…પણ ત્યાં અચાનક મારા મગજમાં ઝળહળતી ટયુબલાઇટ થઇ.અને મારું મગજ રોશની થી પ્રકાશિત થઇ ગયું….કે,”અરે,હું યે કેવી મૂરખ જેવી વાતો વિચારું છું..(નો કોમેન્ટ પ્લીઝ હો…)અરે,મારે કાવ્યનો લક્ષ્યાર્થ લેવો જોઇએ…વાચ્યાર્થ નહીં…અર્થાત…લોહી થી કાવ્યો લખાવા જોઇએ મતલબ…સાચું લોહી ન કાઢવાનું હોય….લોહી નીકળે તેવી વેદના થી લખાવા જોઇએ,દિલમાં પરમ વેદના અનુભવાવી જોઇએ,સ્વયંસ્ફૂરિત વેદના માંથી…એ વેદના ના ગહન અંધકારમાં થી આત્માને અજવાળતું કાવ્ય નીપજે અને તો જ મહાન કૃતિ બની શકે અને સાહિત્ય જગતમાં માં ઉથલપાથલ મચી જાય અને વિશ્વમાં એક મહાન હસ્તીની નોંધ લેવાય.

અને પછી તો મને એ પણ યાદ આવ્યુ કે શ્રી ટાગોરના જીવન માં ઇશ્વરે કેટકેટકી કરૂણતા ભરી હતી..જેને લીધે એ આટલા મહાન કવિ બની શકયા..!!અને પછી તો આવા અનેક ઉદાહરણોથી મારું મન ઝળહળ ઝળહળ થઇ ગયું….
અને મને મારી પરમ નિષ્ફળતાના સાચા કારણની હવે ખબર પડી ગઇ.મને સમજાઇ ગયું કે આમાં મારો જરાયે વાંક નથી.બધો વાંક ઓલા ઉપરવાળાનો જ છે..જેણે મને જીવનના આવા મહાન રસ…કરૂણ રસથી વંચિત રાખી છે.હું મહાન કૃતિઓનું સર્જન ન કરી શકું માટે એણે જ મારી સાથે અન્યાય કર્યો છે.હવે ઇશ્વ્રર સાથે લડવા યે કેમ જાવું?હવે મારે આ કરૂણ રસની શોધ કરવા કયાં જાવું?

અને મેં માર અંત:સ્તલની અંદર ઉંડે ઉંડે શોધ આદરી.કેમકે મેં કયાંક વાંચ્યું હતું કે જે બહારથી કયાં ય ન મળે ત્યારે અંદર શોધ આદરવી…એ તમારી અંદર જ કયાંક બિરાજમાન હશે.તો આ કરૂણ રસની શોધમાં મને સૌ પ્રથમ કરૂણતા યાદ આવી કે અત્યાર સુધીમાં મેં જેટલા કાવ્યો અનેક તંત્રીઓને મોકલ્યા છે..એ બધા સાભાર પરત આવ્યા છે…તો એ શું કરૂણતા ન કહેવાય?(પણ આને કરૂણતા કહી શકાતી હોય તો પણ આ કરૂણ રસથી હું એટલી બધી છલકાઇ ગયેલ છું..કે એની મને આદત પડી ગઇ હોવાથી એની કરૂણતા મને સ્પર્શી શકતી નથી..)
પણ પછી મને થયું..ના,ના, આ કંઇ મારીએ કરૂણતા નથી…એ તો તંત્રીઓની કરૂણતા છે કે એ લોકો મારા જેવી મહાન કવિને સમજી નથી શકતા…બાકી એની સાથે મારે કોઇ લેવા દેવા નહીં….એટલે એ કરૂણતા તો ગઇ…હવે?

અને હવે તો હું બમણા ઝ્નૂનથી કરૂણરસની શોધમાં ડૂબી ગઇ.કેમકે હમણાં જ મેં પાછું કયાંક વાંચી લીધું….

”ના દેખાયું તેજ અંબારે,
જોયું મેં ઘન અંધારે…’

કે પછી…

”એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર ,
જબ લિયા આકાશ છૂ…..”

અરે,,નશીબ,….!!! એક તિનકાને યે ઉડવા માટે તોફાન મળી રહે છે….અને મને એક મહાન હેતુ માટે એક કરૂણ રસની ખોટ?ઇશ્વર આવો હળાહળ અન્યાય?આવો પક્ષપાત?એક તિનકાથી …તણખલાથી યે હું ગઇ?

હવે?હવે કરવું શું?કરૂણરસ શોધવો કેમ મારે?મારા છોકરાઓ બને અમેરિકામાં જલસા કરે છે…પતિદેવ તરફથી કોઇ પ્રોબ્લેમ નથી…એટલીસ્ટ મને તો નથી જ..બાકી એની એને ખબર…!!! એ તો જેવા જેના નશીબ…સગા સંબંધીઓ મિત્રો… બધાનો ભરપૂર પ્રેમ મળ્યો છે….પૈસાનો કોઇ પ્રોબ્લેમ નથી…સ્ત્રી સ્વંતત્રતાનો નારો લગાવી ને યે દુ:ખી થઇ શકું તેમ નથી..કેમકે એ યે પૂરેપૂરી મળી છે..

હવે..?ઇશ્વરે જીવનની આવી મહાન વસ્તુથી મને વંચિત રાખી?આવું કાવતરું?મને મહાન કવિ ન બનવા દેવાનું?અરે,નોબેલ પ્રાઇઝની મને ખેવના નથી…નરસિહ મહેતા એવોર્ડ પણ ભલે કવિશ્રી રાજેન્દ્ર શુકલ લઇ જતા….હું તો કોઇ નાના મોટા એવોર્ડથી યે કામ ચલાવી લેત…ગાડું ગબડાવી લેત…આમે ય હું રહ્યો સંતોષી જીવ…..પણ એનો અર્થ હે ભગવાન સાવ આવો?સાવ આવો અન્યાય?હું તારી ભકત અને દીવા નીચે જ અંધારું?ભકતની આવી કસોટી?વેદનાની એક ઝાંખીથી યે મને તેં વંચિત રાખી?હવે મારે મહાન કવિ બનવું(કવિ તો બની શકું તેમ નથી…કવિયત્રી….)કેમ?

વેદનાની શાહેમાં ઝબોળી ઝબોળી ને મહાન કાવ્યનું સર્જન કરવાથી શું હું હમેશા દૂર જ રહીશ?જગતને એક મહાન કવિયત્રીથી વંચિત રહેવું પડશે?મને તો ઠીક…પણ આમ કરીને તેં સમગ્ર વિશ્વને અન્યાય કર્યો છે…….

અને હું પરમ વેદનામાં..વેદનાના વલોપાતમાં ડૂબી ગઇ.કરૂણરસના અગાધ મહાસાગરમાં તરવા લાગી….વેદના ન હોવાની વેદના….દુ:ખ ન હોવાના પરમ દુ:ખની ગર્તામાં હું ધકેલાઇ ગઇ.અને અચાનક આકાશમાં વીજળી નો ચમકાર થાય તેમ મને યે બ્રહ્જ્ઞાન લાધ્યું…ઓહ.!!! ઇશ્વરે આ જ કરૂણરસ મારા માટે રાખ્યો હતો…

“વેદના ન હોવાની વેદના….!!! “

હું મૂરખ તેની લીલા સમજી ન શકી….!!!!અને કરૂણ રસમાં તરબોળ થઇ ને..હું મહાન કાવ્યનું સર્જન કરવા બેસી ગઇ…ના,ના,,,કાવ્યો,,શબ્દો મારા અંતરમાંથી ધાણી ની જેમ ફૂટવા લાગ્યા….અને અનાયાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ કૃતિનું સર્જન મારાથી થઇ ગયું છે…..!!!!

બસ…જરા ધીરજ ધરો….તમારા સુધી એ પહોચશે ત્યારે તમે યે મારા એ કરૂણરસમાં ડૂબી ને કે તરીને(તરતા આવડતું હશે તમને તો તરી ને…) આનંદથી છલકાઇ જશો…બસ…એ દિવસની પ્રતીક્ષા કરો…ત્યાં સુધી…તમારા ગુજરાતના એ મહાન સર્જકનું સ્વાગત કરવાની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવા મારી આપ સૌને નમ્ર વિનંતિ છે.

                               નીલમ દોશી.

 

કરૂણ રસનો પોકાર… January 4, 2006

આમ તો હું વરસોથી કાવ્યો લખુ છું…અને ખુબ સરસ…હ્રદયસ્પર્શી કાવ્યો લખુ છું…એ મારો નમ્ર મત છે.બીજા કોઇનો હોય કે નહીં…પણ આ મારી અંગત માન્યતા છે..જેને હું સુધારવા નથી માગતી…મારા વિષે કે મારા કાવ્યો વિષે બીજું કોઇ આવું ન માની શકે કે ન સ્વીકારી શકે તેમાં મારો કોઇ વાંક નથી..એ એમની ખામી ..એમના નશીબ…એમાં હું શું કરી શકું?

જોકે બની શકે કે એ મહાન કાવ્યો હજુ આપ કોઇ સુધી પહોચી શકયા ન હોય…જેથી આપને એનું મૂલ્યાંકન કરવાનો અમૂલ્ય લહાવો ન મળ્યો હોય.કેમકે હજુ સુધી કોઇ મેગેઝીન કે કોઇ કચરા જેવા છાપા સુધી યે મારા એ મહાન કાવ્યો પહોચી શકયા નથી.કેમકે એના તંત્રીઓ એ કાવ્યો સમજી કે માણી શકે તેવા સક્ષમ નથી.પણ એ યે મારો વાંક તો નથી જ.

જોકે હું એથી બહું ખુશ છું.કેમકે મને ખબર છે..આપણા દેશમાં આપણી કોઇ મહાન વ્યક્તિઓની કદર થઇ જ નથી.પહેલાં વિદેશની ધરતી પર એની પહેચાન થઇ છે અને પછી જ આપણને કહેવામાં આવ્યું કે તમારા દેશની આ વ્યક્તિ આટલી મહાન છે.અને ત્યારે જ આપણે સફાળા જાગ્યા છીએ.ઇતિહાસ આવા અનેક ઉદાહરણોથી ભરપૂર છે.એની તો કોઇ ના પાડી શકે તેમ નથી.તેથી અહીં મારા કાવ્યો કોઇ સમજી નથી શકતા અને સાભાર પરત કર્યે રાખે છે એથી હું સ્વાભાવિક રીતે જ બહું ખુશ છું…બસ….હવે કોઇ વિદેશથી માઇ નો લાલ જાગે અને મારા કાવ્યની કદર કરે એટલી જ વાર છે.અને પછી …..પછી તો મેરા ભારત મહાન છે જ…( શ્રી સુરેશદાદા,શ્રી વિજયભાઇ વિગેરે વિદેશી મિત્રો સૌના અમૂલ્ય સહકારની મને આશા જ નહીં  વિશ્વાસ છે…!!!!!) 

આ તો જોકે આડવાત થઇ.હકીકતે મને યે મારા કાવ્યોની ખામી ની….એક મહાન ખામી ની ખબર છે.અને એનો આજે હું જાહેરમાં સ્વીકાર કરતાં યે અચકાઇશ નહીં.આજે મને અચાનક ખ્યાલ આવ્યો કે મારા કાવ્યો માં શું ખૂટે છે….

યસ..મારા કાવ્યોમાં ખૂટે છે…..કરૂણ રસ…..હમણાં જ મેં એક જગ્યાએ આ વાંચ્યું…કે..”કાવ્યો કે ગીત કે ગઝલ શાહી થી નહીં લોહી થી લખાય અને તો જ મહાન કાવ્યોનું …યાદગાર કાવ્યોનું સર્જન થઇ શકે.

અને મેં તો તરત હાથમાં એક નાજુક મજાનો નમણો..નાનકડો ચીરો પાડયો…(કાવ્યો માટે તો હું ગમે તે કરી શકું..મારા કાવ્ય પ્રેમ માટે હું કુરબાન થઇ શકું..એક કાપાની શી વિસાત ?)અને એ ચીરામાંથી લાલ ચટક રંગનું ધગધગતું લોહી…નસોમાં વહેતું ઉષ્ણ….જીવંતં લોહી …બહાર ધસી આવ્યું…હું આનંદભરી આંખે એની સામે જોઇ રહી…હવે આ લોહીમાંથી સર્જાશે અદભૂત કાવ્યો…. જે મને મહાન કવિઓની હરોળમાં મૂકી નોબેલ પ્રાઇઝ સુધી પહોચાડશે…એનો મને વિશ્વાસ છે.પરમ વિશ્વાસ….અને વિશ્વાસથી મોટી બીજી કોઇ વાત છે?તમે જ ભલા કહો..

હા,તો ગરમગરમ લોહીમાં પેન ઝબોળી…મેં કાવ્ય લખવાની મહાન શરૂઆત કરી…પણ થયું એવું કે મારે લખવાનું હતું એક દીર્ઘ કાવ્ય…અને એટલું લોહી એ માટે પૂરતું નહોતું…પણ વાંધો નહીં..કાવ્ય માટે તો હું ગમે તે કરી શકું..મારા શરીરનું એક એક ટીપુ..કતરા કતરા લોહી..અંતિમ શ્વાસ સુધી નું લોહી હું બહાવી દઇશ…(કોઇ ફિલ્મી ડાયલોગ લાગે છે ને?મને યે લાગે છે…ફિલ્મોની અસર વિષે ભવિષ્યમાં હું એક સરસ મજાનો લેખ લખવાની જ છું…)

હા,તો હું તો વધારે લોહી કાઢવાના વિચાર માં જ હતી…પણ ત્યાં અચાનક મારા મગજમાં ઝળહળતી ટયુબલાઇટ થઇ.અને મારું મગજ રોશની થી પ્રકાશિત થઇ ગયું….કે,”અરે,હું યે કેવી મૂરખ જેવી વાતો વિચારું છું..(નો કોમેન્ટ પ્લીઝ હો…)અરે,મારે કાવ્યનો લક્ષ્યાર્થ લેવો જોઇએ…વાચ્યાર્થ નહીં…અર્થાત…લોહી થી કાવ્યો લખાવા જોઇએ મતલબ…સાચું લોહી ન કાઢવાનું હોય….લોહી નીકળે તેવી વેદના થી લખાવા જોઇએ,દિલમાં પરમ વેદના અનુભવાવી જોઇએ,સ્વયંસ્ફૂરિત વેદના માંથી…એ વેદના ના ગહન અંધકારમાં થી આત્માને અજવાળતું કાવ્ય નીપજે અને તો જ મહાન કૃતિ બની શકે અને સાહિત્ય જગતમાં માં ઉથલપાથલ મચી જાય અને વિશ્વમાં એક મહાન હસ્તીની નોંધ લેવાય.

અને પછી તો મને એ પણ યાદ આવ્યુ કે શ્રી ટાગોરના જીવન માં ઇશ્વરે કેટકેટકી કરૂણતા ભરી હતી..જેને લીધે એ આટલા મહાન કવિ બની શકયા..!!અને પછી તો આવા અનેક ઉદાહરણોથી મારું મન ઝળહળ ઝળહળ થઇ ગયું….
અને મને મારી પરમ નિષ્ફળતાના સાચા કારણની હવે ખબર પડી ગઇ.મને સમજાઇ ગયું કે આમાં મારો જરાયે વાંક નથી.બધો વાંક ઓલા ઉપરવાળાનો જ છે..જેણે મને જીવનના આવા મહાન રસ…કરૂણ રસથી વંચિત રાખી છે.હું મહાન કૃતિઓનું સર્જન ન કરી શકું માટે એણે જ મારી સાથે અન્યાય કર્યો છે.હવે ઇશ્વ્રર સાથે લડવા યે કેમ જાવું?હવે મારે આ કરૂણ રસની શોધ કરવા કયાં જાવું?

અને મેં માર અંત:સ્તલની અંદર ઉંડે ઉંડે શોધ આદરી.કેમકે મેં કયાંક વાંચ્યું હતું કે જે બહારથી કયાં ય ન મળે ત્યારે અંદર શોધ આદરવી…એ તમારી અંદર જ કયાંક બિરાજમાન હશે.તો આ કરૂણ રસની શોધમાં મને સૌ પ્રથમ કરૂણતા યાદ આવી કે અત્યાર સુધીમાં મેં જેટલા કાવ્યો અનેક તંત્રીઓને મોકલ્યા છે..એ બધા સાભાર પરત આવ્યા છે…તો એ શું કરૂણતા ન કહેવાય?(પણ આને કરૂણતા કહી શકાતી હોય તો પણ આ કરૂણ રસથી હું એટલી બધી છલકાઇ ગયેલ છું..કે એની મને આદત પડી ગઇ હોવાથી એની કરૂણતા મને સ્પર્શી શકતી નથી..)
પણ પછી મને થયું..ના,ના, આ કંઇ મારીએ કરૂણતા નથી…એ તો તંત્રીઓની કરૂણતા છે કે એ લોકો મારા જેવી મહાન કવિને સમજી નથી શકતા…બાકી એની સાથે મારે કોઇ લેવા દેવા નહીં….એટલે એ કરૂણતા તો ગઇ…હવે?

અને હવે તો હું બમણા ઝ્નૂનથી કરૂણરસની શોધમાં ડૂબી ગઇ.કેમકે હમણાં જ મેં પાછું કયાંક વાંચી લીધું….

”ના દેખાયું તેજ અંબારે,
જોયું મેં ઘન અંધારે…’

કે પછી…

”એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર ,
જબ લિયા આકાશ છૂ…..”

અરે,,નશીબ,….!!! એક તિનકાને યે ઉડવા માટે તોફાન મળી રહે છે….અને મને એક મહાન હેતુ માટે એક કરૂણ રસની ખોટ?ઇશ્વર આવો હળાહળ અન્યાય?આવો પક્ષપાત?એક તિનકાથી …તણખલાથી યે હું ગઇ?

હવે?હવે કરવું શું?કરૂણરસ શોધવો કેમ મારે?મારા છોકરાઓ બને અમેરિકામાં જલસા કરે છે…પતિદેવ તરફથી કોઇ પ્રોબ્લેમ નથી…એટલીસ્ટ મને તો નથી જ..બાકી એની એને ખબર…!!! એ તો જેવા જેના નશીબ…સગા સંબંધીઓ મિત્રો… બધાનો ભરપૂર પ્રેમ મળ્યો છે….પૈસાનો કોઇ પ્રોબ્લેમ નથી…સ્ત્રી સ્વંતત્રતાનો નારો લગાવી ને યે દુ:ખી થઇ શકું તેમ નથી..કેમકે એ યે પૂરેપૂરી મળી છે..

હવે..?ઇશ્વરે જીવનની આવી મહાન વસ્તુથી મને વંચિત રાખી?આવું કાવતરું?મને મહાન કવિ ન બનવા દેવાનું?અરે,નોબેલ પ્રાઇઝની મને ખેવના નથી…નરસિહ મહેતા એવોર્ડ પણ ભલે કવિશ્રી રાજેન્દ્ર શુકલ લઇ જતા….હું તો કોઇ નાના મોટા એવોર્ડથી યે કામ ચલાવી લેત…ગાડું ગબડાવી લેત…આમે ય હું રહ્યો સંતોષી જીવ…..પણ એનો અર્થ હે ભગવાન સાવ આવો?સાવ આવો અન્યાય?હું તારી ભકત અને દીવા નીચે જ અંધારું?ભકતની આવી કસોટી?વેદનાની એક ઝાંખીથી યે મને તેં વંચિત રાખી?હવે મારે મહાન કવિ બનવું(કવિ તો બની શકું તેમ નથી…કવિયત્રી….)કેમ?

વેદનાની શાહેમાં ઝબોળી ઝબોળી ને મહાન કાવ્યનું સર્જન કરવાથી શું હું હમેશા દૂર જ રહીશ?જગતને એક મહાન કવિયત્રીથી વંચિત રહેવું પડશે?મને તો ઠીક…પણ આમ કરીને તેં સમગ્ર વિશ્વને અન્યાય કર્યો છે…….

અને હું પરમ વેદનામાં..વેદનાના વલોપાતમાં ડૂબી ગઇ.કરૂણરસના અગાધ મહાસાગરમાં તરવા લાગી….વેદના ન હોવાની વેદના….દુ:ખ ન હોવાના પરમ દુ:ખની ગર્તામાં હું ધકેલાઇ ગઇ.અને અચાનક આકાશમાં વીજળી નો ચમકાર થાય તેમ મને યે બ્રહ્જ્ઞાન લાધ્યું…ઓહ.!!! ઇશ્વરે આ જ કરૂણરસ મારા માટે રાખ્યો હતો…

“વેદના ન હોવાની વેદના….!!! “

હું મૂરખ તેની લીલા સમજી ન શકી….!!!!અને કરૂણ રસમાં તરબોળ થઇ ને..હું મહાન કાવ્યનું સર્જન કરવા બેસી ગઇ…ના,ના,,,કાવ્યો,,શબ્દો મારા અંતરમાંથી ધાણી ની જેમ ફૂટવા લાગ્યા….અને અનાયાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ કૃતિનું સર્જન મારાથી થઇ ગયું છે…..!!!!

બસ…જરા ધીરજ ધરો….તમારા સુધી એ પહોચશે ત્યારે તમે યે મારા એ કરૂણરસમાં ડૂબી ને કે તરીને(તરતા આવડતું હશે તમને તો તરી ને…) આનંદથી છલકાઇ જશો…બસ…એ દિવસની પ્રતીક્ષા કરો…ત્યાં સુધી…તમારા ગુજરાતના એ મહાન સર્જકનું સ્વાગત કરવાની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવા મારી આપ સૌને નમ્ર વિનંતિ છે.

                               નીલમ દોશી.

 

January 4, 2006

કદીય એટલી એકલતા ન અનુભવે કે
મૃત્યુ વિષે અણધાર્યો વિચાર પણ પ્રવેશે
તું પ્રતીક્ષાનું સુખ માણજે
વિરહનો ઉત્સવ મનાવજે
અને…
સાચકલા સુખોની ક્ષણોથી
જીવતરને શણગારજે
તારી સાથે થોડાક સ્વજનો હશે જ..
એમાં મારું નામ ઉમેરીશ?
હું તારી સાથે જ હતો
આ ક્ષણે પણ છું અને રહીશ.

                                       દિનેશ પરમાર.

 

January 4, 2006

કદીય એટલી એકલતા ન અનુભવે કે
મૃત્યુ વિષે અણધાર્યો વિચાર પણ પ્રવેશે
તું પ્રતીક્ષાનું સુખ માણજે
વિરહનો ઉત્સવ મનાવજે
અને…
સાચકલા સુખોની ક્ષણોથી
જીવતરને શણગારજે
તારી સાથે થોડાક સ્વજનો હશે જ..
એમાં મારું નામ ઉમેરીશ?
હું તારી સાથે જ હતો
આ ક્ષણે પણ છું અને રહીશ.

                                       દિનેશ પરમાર.

 

વિરોધ… January 4, 2006

પપ્પાનો જોરદાર વિરોધ સાંભળી પરમ ને પુનિતા તો ડઘાઇ જ ગયા!!મમ્મી ના વિરોધ ની કદાચ થોડીઘણી કલ્પના કરી શકાય….પણ…પપ્પા ની તો પૂરી ખાત્રી હતી..સહકારની…પપ્પા એટલા ઉદાર..નવા વિચારોની ,વિશાળ મન ના અને ખુલ્લા દિલના હતા…કે ત્યાંથી તો કોઇ વિરોધની કલ્પના યે તેમને નહોતી આવી.ઉલ્ટુ કદાચ મમ્મી કંઇ કહેશે તો તેને પણ તે જ સમજાવી લેશે…તેવું તે બંને માનતા હતા…
પણ…આ તો ઉલ્ટુ થયું.મમ્મી કંઇ બોલે તે પહેલાં જ…પપ્પા જ……અરે,વિરોધ પણ કયાં હતો?ચોખ્ખા શબ્દોમાં મનાઇ જ ફરમાવી દીધી હતી.

પુનિતા તો રૂમમાં જઇ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.પરમ તેને શાંત રાખવાના પ્રયત્નો કરતો રહ્યો.

”તું રડ નહીં…પુનિ,પપ્પા જરૂર માની જશે…સ્વીકારી લેશે….આ તો પહેલો પ્રત્યાઘાત છે!!હું નિરાંતે પપ્પા સાથે વાત કરીશ,ચર્ચા કરીશ.તે શું કહેવા માગે છે..તે સાંભળીશું..સમજીશું.તું ચિંતા ન કર.કોઇ યોગ્ય કારણ વિના પપ્પા આમ કહે જ નહીં.તું યે પપ્પાને કયાં ઓળખતી નથી?”

”ઓળખતી હતી….!!હવે એવું લાગે છે…પપ્પા ખાલી મોટી મોટી વાતો કરે છે!!ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા લાગે છે.પોતાના પગ નીચે રેલો આવે ત્યારે માણસના બધા આદર્શો ભુલાઇ જતા હોય છે!!”પુનિતા ઉશ્કેરાટથી બોલી રહી..
“ના,પપ્પા એવા નથી જ..હું તેમની સાથે નિરાંતે ચર્ચા કરીશ.વિરોધનું કોઇ કારણ તો હશે ને તેમની પાસે?વિરોધ કરવા ખાતર કરે તેવા તે નથી જ…હું તેમને બરાબર ઓળખું છું.એકવાર થોડા શાંત થવા દે…પછી તે પોતે યે જરૂર વિચારશે..”
પરમ પુનિતાને આશ્વાસન આપતો રહ્યો.અને મનમાં જ વિરોધનું કારણ શોધા મથી રહ્યો.તેને સમજાતું નહોતું પણ મનમાં એક શ્રધ્ધા હતી જ કે પપ્પા તેની વાત સ્વીકારશે જ.પપ્પાના ઉદારવાદી વલણ નો તેને એકવાર નહીં અનેકવાર અનુભવ થઇ ચૂકયો હતો.પપ્પા માટે તેના દિલમાં સાચો આદર હતો..અને આ ઘરમાં બાળકની કિલકારી ગૂંજતી થાય તેવી મમ્મી પપ્પાની ઇચ્છા યે કયાં ઓછી હતી?
પુનિતા ને બાળક થાય તેમ નથી..એ વાતની જયારે ખબર પડી ત્યારે યે તેમણે કેટલી સહજતાથી એ વાત સ્વીકારી લીધી હતી!!પુનિતા પ્રત્યે યે મમ્મી કે પપ્પા બંને ના વર્તન માં કોઇ ફરક પડયો નહોતો!! એ તો પુનિતા ખુદ કહેતી હતી.અને પુનિતા ને ત્યારે તેમણે જ સંભાળી હતી..સાચવી હતી.પોતાની દીકરી ને આવો પ્રોબ્લેમ હોય તો?એવું વિચારી પુનિતા પ્રત્યેની તેમની લાગણી માં કોઇ ફરક નહોતો પડયો.આમે ય મમ્મી પપ્પાએ હમેશા દરેક વાતમાં બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકી ને જોવાની ટેવ કેળવી હતી.

ધુમકેતુની વાત તેમના મગજમાં સ્પષ્ટ રીતે હમેશ માટે અંકિત થયેલ હતી.

“મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઇ જાય.”

અને તેથી જ તેમનું ઘર સ્વર્ગ જેવું બની શકયુ હતું.જયાં પરસ્પર લાગણી,પ્રેમ અને સ્નેહ ની સરિતા વહેતી હતી. અને છતાં અનાથાશ્રમ માંથી બાળક દતક લેવાની વાત સાંભળી પપ્પાએ સીધી ના જ પાડી દીધી!! એ જ પપ્પાને તેમના એક મિત્રને એવો પ્રશ્ન આવતા આ જ સલાહ આપતા પોતે સાંભળ્યા હતા.તો શું…પુનિતાની વાત સાચી હતી?શિખામણો બીજા માટે…અને પોતાના પગ નીચે રેલો આવે ત્યારે…..

ના,ના,પપ્પા માટે તે આવું વિચારી શકે તેમ નહોતો જ.પપ્પાને તે આજકાલથી થોડો ઓળખતો હતો?પછી નિરાંતે પપ્પા સાથે વાત કરીશ…એમ તેણે મનને મનાવ્યું.

બે- ત્રણ દિવસ ઘરમાં કોઇ કંઇ તે અંગે બોલ્યું નહીં.ઘરનો વ્યવહાર પૂર્વવત્ ચાલતો રહ્યો.પપ્પા મમ્મીના વર્તનમાં કોઇ કડવાશ…કે એ વાતનો કોઇ ઇશારો યે નહોતો..પણ સાથે સાથે એ વાતનો ઉલ્લેખ સુધ્ધાં કોઇએ ન કર્યો.પરમ ને એમ કે પપ્પા જ સામેથી વાત કાઢશે…અને પોતાના વિરોધ માટેના કારણો યે કહેશે.પણ પપ્પા તો મૌન!! એ વાત સિવાય બધું સામાન્ય હતું.બાપ દીકરો હમેશની જેમ એક જ ગાડીમાં જતા.અને દુનિયાભરની વાતો યે પહેલાની જેમ જ કરતા. હવે પરમ થોડો અકળાયો..પુનિતા રોજ તેને પૂછતી રહેતી.

અંતે તેણે રવિવારે બધા સાથે બેઠા હતા,,ત્યારે ફરીથી વાત કાઢી. ”પપ્પા.પછી તમે પેલી વાતનું શું વિચાર્યું?બાળકને લેવામાં વાંધો શું છે?તમે જ તો કેતા હો છો…બાળકને કોઇ જાતિ,ધર્મ…નથી હોતા.”પરમે એકી શ્વાસે સીધુ જ પૂછી નાખ્યુ.

:બેટા,તારી બધી વાત સાચી.પણ આપણા ઘરમાં હું કોઇ અનાથ બાળકને કાયમ સાંખી નહીં શકું.ન જાણે એ કોના સંસ્કાર લઇ ને આવ્યું હોય?કોના પાપનું ફળ હોય?કોની ભૂલનું પરિણામ હોય?કે કોના જીન્સ તેનામાં હોય? મોટો થઇ ને એ કેવો નીકળે?ના..મારે મારા ઘરનુ વાતાવરણ ડહોળાય એવું કંઇ નથી કરવું.”

“પપ્પા….આ તમે…તમે તમે કહો છો?”

પરમે આશ્ર્વર્ય થી પૂછયું,”અરે,તમે જ તો કહેતા હતા….બાળક એટ્લે…..”

:કહેતો હતો..પણ..કદાચ એ મારી ભૂલ હતી!!”

:”એટલે એનો અર્થ હું એ કરું કે..તમારી વાતો ને વયવહાર અલગ છે?

આદર્શ ફકત બોલવા પૂરતો જ સીમિત છે..અમલમાં મૂકવાની વાત આવે ત્યારે…….”

તારે જે માનવું હોય તે માની શકે છે”નીલેશભાઇએ શાંતિથી જવાબ આપ્યો.

”મમ્મી.તમે પપ્પાને કંઇક કહો ને?”
“મને કોઇએ કહેવાની જરૂર નથી.અને આ નિર્ણય અમારા બને નો છે.”

“પણ…તમારા આ નિર્ણય સાથે હું સહમત નથી.આ અમારી જિંદગી નો અગત્યનો સવાલ છે.મને ને પુનિતાને બંને ને બાળકની ઝંખના છે.”

તમારો નિર્ણય..તમે તમારી જાતે લઇ શકો છો..તમે એને સ્વીકારી શકો છો.હું કે તારી મમ્મી એને સ્વીકારીશું નહીં.પણ આ ઘર જેટલું મારું છે..તેટલું જ તમારું યે છે….એટલે તમે એને લાવી નેરાખશો તો અ તમારી એકલાની જવાબદારી રહેશે.એમાં અમારી પાસેથી કોઇ આશા રાખશો નહીં.તમે મમ્મી પપ્પા બનશો….અમે દાદા –દાદી નહીં જ!!!” નીલેશભાઇએ ચોખ્ખી વાત કરી.

પરમ અને પુનિતા અકળાઇ ગયા..તો તો આ ઘરના બે ભાગ પડી જાય.સંબંધોમાં અનાયાસે એક દરાર આવી જ જાય.આવું સરસ પ્રેમનું વાતાવરણ ડહોળાઇ જાય.

હવે શું કરવું?પુનિતા તેના નિર્ણયમાં મક્કમ હતી.તે બાળક માટે અધીરી બની હતી.તેનું સુપ્ત માતૃત્વ જાણે પોકારી ઉઠયું હતું.પરમ ના પણ કેવી રીતે પાડે?પુનિતાને યે ઘર માટે મમ્મી..પપ્પા માટે લાગણી હતી જ.પણ….આ બાબત અંગે તે મક્કમ હતી.

અંતે બંને એ નક્કી કર્યું..જે થશે તે જોયું જશે….બાળક તો લાવવું જ.બની શકે ભવિષ્યમાં નાનકડા શિશુ ને જોઇ મમ્મી પપ્પા પીગળે પણ ખરા!! અને નહીંતર જે હકીકત સામે આવે તે સ્વીકારી લેવી.

આમ નંક્કી કરી બંને એ પોતાનો નિર્ણય ઘરમાં જણાવી દીધો..
પપ્પાએ ફરી એકવાર તેને સમજાવી જોયો પણ હતો,”બેટા,કોઇ અનાથ બાળકની દયા ખાવી,તેને થોડું આપવું કે દૂર રહીને મદદ કરવી ..એ બધી અલગ વાત છે.અને હમેશ માટે બાળક લાવવું એ અલગ વાત છે.મનમાં જો જરાકે ય ભૂલથી યે કયારેય એવો વિચાર આવે કે આ બાળક કોનું હશે…તો?ત્યારે એનો કોઇ અર્થ નથી. અને બાળક કદાચ કયારેય ખોટું કરે,,તોફાન કરે..કે બગડે..ત્યારે યે મનમાં એવો વિચાર આવે કે આને ખોટું લીધું..નકામી ઉપાધિ લીધી…અને આ આવું કેમ નીકળ્યું?તેના લોહીમાં જ કંઇક ખોટ હશે…..આ વા બધા વિચારો આવી પણ શકે…આ બધા ભયસ્થાનો વિચારી લેજે.બાળક લાવી ને તમે એની દયા નથી ખાતા.તમારે એની જરૂરિયાત છે માટે તમે એને લાવો છો.ભવિષ્યમાં ગમે તે પરિણામ આવે ત્યારે યે તમારા મનમાં યે એવો કોઇ વિચાર ન આવવાનો હોય…એ બધી જવાબદારીનું ભાન હોય તમને બંને ને તો જ તમારો નિર્ણય અમલમાં મૂકજો.બાકી તું તારી જિંદગી જીવવા સ્વતંત્ર છે.પણ અમારી પાસેથી કોઇ આશા રાખીશ નહીં.અમારામાં કયારેય કોઇ ફરક નહીં પડે..એ આવનાર બાળક સાથે અમારો કોઇ સંબંધ રહેશે નહીં ને એવો કોઇ પ્રયત્ન પણ કરતા નહીં.પાછળથી તમને એમ ન થાય કે પપ્પા મારા છોકરા સાથે બોલતા નથી.” નીલેશભાઇએ પૂરેપૂરી સ્પષ્ટતા કરી લીધી.

પરમ અને પુનિતા મૌન જ રહ્યા,શું બોલે?હવે જવાબ આપવાનો કોઇ અર્થ કયાં હતો?પપ્પા એની વાતમાં મક્કમ હતા.તેને દુ:ખ તો થયું..પણ….

અંતે બધી કાનૂની વિધિ પતાવી..મહિના પછી સારો દિવસ જોઇ બંને બાળકનો કબજો લેવા ગયા.આટલા દિવસો સુધી તેઓ એ આ અંગે કોઇ વાત ઘરમાં કરી નહોતી.નીલેશભાઇ મૌન બની ને બધું સાક્ષીભાવે જોતા હતા.મમ્મી પણ મૌન બની ગઇ હતી.

બાળકને લેવી જતી વખતે બંને મમ્મી પપ્પાને પગે લાગ્યા.બંને એ ત્યારે યે મૌન રહીને જ આશીર્વાદ આપ્યા.

આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો.હાથમાં નાનકડી..છ મહિનાની ઢીંગલી જેવી દીકરી ને જોઇ પુનિતાની આંખમં આનંદના આંસુ છલકાતા હતા.તેમણે દીકરો નહીં પણ દીકરી લીધી હતી.

આખે રસ્તે બંને હરખાતા હતા.સાથે સાથે મનમાં એક ડર પણ હતો..પપ્પા મમ્મી કેવું વર્તન કરશે?શું કહેશે?કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને?ઘરનું વાતાવરણ ડહોળાઇ તો નહીં જાયને?

અને આવા જ વિચારો ની અવઢવમાં અટવાતા બંને ઘેર પહોંચ્યા…ત્યાં….
ત્યાં ઘર આખું સરસ શણગારેલ હતું….વચ્ચે મોટી કેક પડી હતી.દીવાલ પર લખ્યું હતું”વેલકમ “અને હાથમાં આરતી ની થાળી લઇ ને મમ્મી પૌત્રી નું સ્વાગત કરવા હરખાતા હૈયે ઉભા હતા.અને પપ્પા…?પપ્પાએ તો પૌત્રીને ફૂલોથી વધાવી લીધી હતી..

“પપ્પા….” પરમ આગળ કંઇ બોલે પૂછે તે પહેલાં જ નીલેશભાઇએ કહ્યું”આ વિરોધ તો બેટા,તમારા બંને ની પરીક્ષા માટે હતો!! તમે બંને ખરેખર તમારા નિર્ણયમાં કેવા મક્કમ છો..તે જોવા માટે…તમે આને દયાથી કે કે કોઇ ક્ષણિક ઉભરાથી પ્રેરાઇને નથી લેતાને?બસ એટલી જ મારે ખાત્રી કરવી હતી.બાકે અમે યે એટલા જ ઉત્સુક હતા…અમારી મૂડીના વ્યાજ માટે.”

અને સાસુ વહુને તો નાનકડી પૌત્રી અને દીકરીમાંથી આ બધું સાંભળવાની ફુરસદ પણ કયાં હતી?????

                                              નીલમ દોશી.

 

મને ગમતું… January 2, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 6:00 am

ઓસબિંદુએ
સમાવ્યું છે નિજમાં
 વ્યોમ વિરાટ.

 

વહાલ મુબારક…. January 1, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 6:00 am

નવી દ્રષ્ટિ રાખીએ તો વરસ નવું
બાકી એ જ રૂપ રંગ અને ઢંગ..
એ જ સૂર્યોદય,એ જ સૂર્યાસ્ત…
આંજણ આંજી આંખે.સૌન્દર્યનું
નીરખીએ સૃષ્ટિને તો દીસે
નવા રૂપ રંગ અને છલકે ઉમંગ ..અંગ અંગ
એ છલકતા ઉમંગ સાથે

સૌ મિત્રોને ખૂબ ખૂબ વહાલ મુબારક અને અનેક શુભેચ્છાઓ સાથે . આભાર.

                             નીલમ દોશી.

 

મને ગમતું… December 31, 2005

ઇશ્વરના મેં વાઘા જોયા
ત્યાં પણ દોરા ધાગા જોયા.

પાર વગરના છટકા જોયા
જયાં જયાં ટીલા ટપકા જોયા.
દેખાવે તો એક જ લાગે
એવા દસ દસ માથા જોયા.

સગપણને શું રોવું મારે
વળગણમાં પણ વાંધા જોયા

ભીનું જેવું સંકેલાયું
ગંગાજળના ડાઘા જોયા

વિધવા સામે કંકુ કાઢે
અવતારી સૌ બાબા જોયા.

                 સુરેશ ઝવેરી.